બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / No law gives right to husband to beat, torture wife: Delhi High Court
Hiralal
Last Updated: 02:49 PM, 29 August 2023
લગ્નજીવનમાં પતિ દ્વારા પત્નીની મારઝૂડ અને યાતનાના એક કેસમાં હાઈકોર્ટે મહિલાઓની સુરક્ષા સંબંધી એક મોટી ટીપ્પણી કરીને સમાજની દિશા ચીંધી છે. હાઈકોર્ટનું કહેવું છે કે કોઈ પણ કાયદો પતિને પત્નીની મારઝૂડનો અધિકાર નથી આપતો. દિલ્હી હાઈકોર્ટે એક દંપતીના એક દાયકા જૂના લગ્નને રદ કરતી વખતે કહ્યું છે કે, કોઈ પણ કાયદો પતિને તેની પત્નીને માર મારવાનો અને ત્રાસ આપવાનો અધિકાર માત્ર એટલા માટે નથી આપતો કે તેણે લગ્ન કર્યા છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેંચે કહ્યું, "માત્ર એટલા માટે કે બંને પક્ષકારો પરિણીત છે અને પ્રતિવાદી તેનો પતિ છે, કોઈ પણ કાયદો તેને તેની પત્નીને માર મારવાનો અને ત્રાસ આપવાનો અધિકાર આપતો નથી.
શું હતો કેસ
અપીલકર્તા પત્નીએ દાવો કર્યો હતો કે લગ્ન પછી તરત જ, તેણીને તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને વિવિધ અત્યાચારોનો ભોગ બનવું પડ્યું હતું, જે તેણે એવી આશામાં સહન કર્યું હતું કે ભવિષ્યમાં બધું સારું થઈ જશે પરંતુ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફર્ક પડ્યો નહોતો.
પીડિતાનું કહેવું છે કે પતિ અને તેના પરિવારના સભ્યોના અત્યાચાર દિનપ્રતિદિન વધતા ગયા હતા કારણ કે તેમનો એક માત્ર ઉદ્દેશ મારાથી છૂટકારો મેળવવાનો હતો જેથી તેઓ તેમના પુત્રના લગ્ન સમૃદ્ધ પરિવારની બીજી છોકરી સાથે કરી શકે. પત્નીએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, તેની પાસે દહેજની માગણી કરવામાં આવી હતી, અનેક પ્રસંગોએ તેને હેરાન કરવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો અને વૈવાહિક ઘરમાં નોકરાણીની જેમ વર્તન કરવામાં આવ્યું હતું. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેના પતિને પોતાનો ધંધો સ્થાપવા માટે સક્ષમ બનાવવા માટે તેની પાસેથી પૈસાની માંગ કરવામાં આવી હતી.
કોર્ટે કેમ મંજૂર કર્યાં છુટાછેડા
કોર્ટે પત્નીની ફરીયાદ સ્વીકારીને છૂટાછેડા મંજૂર કર્યાં હતા. કોર્ટે એ વાતને પણ ખાસ ધ્યાનમાં લીધી કે પતિએ પત્નીને ઘેર પાછી લાવવામાં પણ કંઈ કર્યું નથી. આ બધું સ્પસ્ટ સૂચવે છે કે તે તેનાથી છૂટકારો મેળવવા માગતો હતો. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે છૂટાછેડા માટેની અરજી બે વર્ષથી વધુ સમય માટે અલગ થયા પછી દાખલ કરવામાં આવી હતી અને તેથી, પત્ની હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13 (આઈબી) હેઠળ છૂટાછેડાના આધારે છૂટાછેડા માટે હકદાર છે.
કોર્ટનું મોટું અવલોકન
દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં એક મોટું અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે પરિણિત હોવા માત્રથી કોઈને પણ પત્નીને માર મારવાનો કે તેને યાતના આપવાનો અધિકાર નથી. કોઈ પણ કાયદામાં પતિને આવો અધિકાર નથી આપવામાં આવ્યો છે. આ ઘરેલુ હિંસાનો કેસ બને છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ