બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nitin Patel's statement at blood donation camp of 27 Samaj Sardar Yuva Mandal at Kadi in Mehsana
Dinesh
Last Updated: 11:23 PM, 1 October 2023
મહેસાણાના કડી ખાતે 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ તેમજ નીતિન પટેલના રૂણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજનીતિ કેટલીક વાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે. નીતિન પટેલે રાકારણની પદ્ધતિ સમજાવતા વધુમાં કહ્યું કે, પરંતુ અહી એકલાનો જ નહી, મારા સાથીદારો તેમજ કાર્યકરો અને મારા બોલાયેલા મહેમાનોનું એેક એક જણનું સ્વાગત કર્યું છે.
નીતિન પટેલનું નિવેદન
નીતિન પટેલ જણાવ્યું કે, હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે. તેમણે બ્લેડ ડોનેશન શિબિર વિશે કહ્યું કે, આપણા સરદાર યુવક મંડળ દ્વારા ડોનેશન કેમ્પ યોજી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે. 11,000માંથી એક એકનો જીવ બચ્યો હોય તો 11000ના જીવ સરદાર પટેલના નામથી બનેલી સંસ્થાના કારણે બચાવી શક્યા છે.
અગ્રણી મુકેશ પટેલે શું કહ્યું ?
27 સમાજ સરદાર યુવક મંડળ અગ્રણી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર યુવક મંડળની 2006માં સ્થાપના કરવામાં આવી તે દરમિયાન નીતિન પટેલને હું મળવા માટે ગયો હતો ત્યાર બાદ જ તેમના અનુભવો અને માર્ગદર્શનના આધારે વિચાર કર્યા બાદ સંગઠનની સ્થાપના કરી હતી. ગુજરાત રાજ્યની અંદર આપણે જોયું હશે જે સંસ્થાની પાછળ યુવક મંડળ લાગે તેમાં 80 ટકા મંડળો અને સંસ્થાઓ ઉત્સાહભેર સ્થાપના થતી હોય છે અને પછી ટૂંકા સમયગાળાની અંદર બાળ મૃત્યુ થઈ જતું હોય છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સંસ્થાને 17 વર્ષ પૂર્ણ થયા છે. સરદાર યુવક મંડળના એકપણ કાર્યક્રમમાં એવું નહીં બન્યું હોય કે નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં ન હોય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા