બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / nishant-sharma-martyr-in-jammu-during-sease-firing-and-marriage-before-two-yeas
Hiralal
Last Updated: 10:16 PM, 25 January 2021
જમ્મુ કાશ્મીરના રાજોરીમાં આંતરરાષ્ટ્રીય સરહદે ક્રોસ બોર્ડર ફાયરિંગમાં સહારનપુરના સપૂત નાયક નિશાંત શર્મા શહીદ થતા તેમના માદરે વતનમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું. જમ્મુ કાશ્મીરના સરહદીય જિલ્લા રાજોરીમાં તહેનાત નિશાંત શર્મા ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ગંભીર ઘાયલ થયા હતા. 18 જાન્યુઆરીએ નિશાંતને ઉધમપુર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં હતા જ્યાં રવિવારે મોડી રાતે તેમને અંતિમ શ્વાસ લીધો હતો.
શહીદ શર્મા 61 રાષ્ટ્રીય રાઈફલ જાટ રેજિમેન્ટમાં તહેનાત હતા. નિશાંતના પિતા જોગેન્દ્ર શર્મા ખાંડની ફેક્ટરીના સેવાનિવૃત કર્મચારી છે. તેમનો નાનો ભાઈ શુભમ પણ સૈનિક તરીકે દેશેસવા કરી રહ્યાં છે.
શહાદતની ખબર મળતાં જ નિશાંતના પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા. પત્ની સોનમ શર્માના તો રડી-રડીને આંસુ ખૂટી ગયા હતા. તેઓ અર્ધપાગલ જેવા બની ગયા હતા અને થોડો સમય સુધી તો બેભાન પણ રહ્યાં હતા. સોનમને પતિના મોતનો એટલો બધો આઘાત લાગ્યો કે તેઓ જાતે જ રૃમમાં પુરાઈ ગયા હતા અને પોતાના હાથ પર ઈજાઓ કરી લીધી હતી. પરંતુ પરિવારજનો અને ગામલોકોએ જેમ તેમ કરીને તેમને રૃમમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા. નિશાંતની માતાની હાલત પણ બગડી હતી પરિવારની મહિલાઓ તેમને સંભાળતી જોવી મળી હતી.
પિતા ચાદર ઓઢીને ગુમસુમ બેસી રહ્યાં
નિશાંતના પિતા જોગેન્દ્ર શર્મા પર ખુરશી પર સુનમૂન થઈને બેસી રહ્યાં હતા. મેં તો મારા બન્ને દિકરાઓને સેનામાં ભતી કરાવી રાખ્યા છે, એક શહીદ થયો, બીજો સેવા બજાવી રહ્યો છે. નિશાંતના મોટાભાઈ ઋષભ અને બીજા લોકો તેમને સાંત્વના આપી રહ્યાં હતા. શહેરના નિવાસી કર્નલ મધુર ગોયેલે પણ નિશાંતના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પરિવારના એક જાંબાઝ સપૂતે પોતાની જાતને દેશ માટે ન્યોછાવર કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો