બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / nia charges 9 al qaeda operatives from bengal kerala who were planning attacks on kafirs
Hiralal
Last Updated: 06:13 PM, 26 February 2021
પશ્ચિમ બંગાળ અને કેરળમાં આતંકી સભ્ય મુર્શીદ હસનની આગેવાનીમાં અલકાયદાના મોડ્યુઅલ કામ કરી રહ્યા હોવાની બાતમીને આધારે એનઆઈએ 11 સભ્યોની સામે કેસ દાખલ કર્યો છે.
અલકાયદાના આ 11 સભ્યો દેશના વિવિધ ભાગોમાં આતંકી હુમલાઓ કરવાનું આગળ પડતું ષડયંત્ર રચી રહ્યાં છે. કેરળ અને પશ્ચિમ બંગાળના ગત વર્ષના દરોડામાં 9 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા બે એમ કુલ 11 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
એનઆઈએની તપાસમાં મુર્શીદ હસન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સ્થિત અલકાયદાના આકાઓ સાથે સંપર્કમાં હોવાનો તથા સોશિયલ મીડિયા દ્વારા તેમની પાસેથી કટ્ટરવાદી સામગ્રી મેળવતો હોવાનો ખુલાસો થયો હતો. મુર્શીદ તેના બીજા સભ્યો સાથે મળીને લોકોની અલકાયદામાં ભરતી કરતો હતો. તેમણે બધાએ ભેગા થઈને સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી સામગ્રીનો પ્રચાર કરતા હતા. તથા ભારતમાં જેહાદને ઉગ્ર બનાવીને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનું કાવતરુ રચી રહ્યાં હતા.
એનઆઈએની તપાસમાં એવું પણ બહાર આવ્યું કે ગ્રુપના સભ્યો જેમને પણ કાફીર ગણતા હતા તેમની પર આતંકી હુમલાઓ કરવાની પેરવીમાં હતા. ગ્રુપના સભ્યોએ હથિયારો, દારુગોળો, વિસ્ફોટક સામગ્રીની ખરીદી માટે પૈસા ભેગા કરવા માટે બેઠકો પણ યોજતા હતા તથા યુવાનોની ભરતી કરતા હતા. આરોપીઓ તેમના વિદેશમાં બેઠેલા આકાઓ દ્વારા શસ્ત્રોના ડીલરો સાથે પણ સતત સંપર્કમાં રહેતા હતા અને તેઓ નવી દિલ્હીમા અત્યાધુનિક શસ્ત્રોનો જથ્થો સ્વીકારવાની તૈયારી કરી રહ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ