ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ અને હાસ્યથી ભરપૂર શો એવા 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું એક લોકપ્રિય પાત્ર શો છોડી રહ્યું છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર 9 વર્ષથી ચાલી રહેલા લોકપ્રિય શો માંથી દયા ભાભી અને જેઠાલાલના પૂત્ર ટપ્પૂ ની વાત અહીં થઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ટપ્પૂના પાત્રને ભજવનારો ભવ્ય ગાંધી આ શોને છોડવા જઈ રહ્યો છે.
જાણકારી મુજબ ભવ્યને કોઈ ગુજરાતી ફિલ્મની ઓફર કરવામાં આવી છે જેના કારણે તે આ નિર્ણય લઈ રહ્યો છે. જોકે આ માહિતીની અધિકારીક રીતે ખાતરી હજુ સુધી કરવામાં આવી નથી. આ પહેલા પણ કેટલાય પાત્રો શો છોડીને ગયા છે. પરંતુ આ વખતે સૌથી લોકપ્રિય પાત્ર જઈ રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ કારણે શોની લોકપ્રિયતા પર કોઈ ફેર પડે છે કે નથી.