બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nephew brutally murdered uncle in Mahisagar
Dinesh
Last Updated: 11:59 PM, 25 December 2022
જર, જમીન અને જોરુ, ત્રણેય કજીયાના છોરુ આ કહેવત મહિસાગરમાં સાર્થક થઈ છે. જમીનની માથાકૂટમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરી નાખી છે. મહીસાગરના ખાનપુર તાલુકાની હદમાં આવેલા રંગેલી ગામે જમીન ખેડવાની અંગત અદાવતે ભત્રીજા એ કરી કાકાની હત્યા કરી દીધી છે.
મહીસાગરના રંગોલીગામે હત્યા
જમીનની માથાકૂટ લોહિયાળ પરિણામ લાવતી હોય છે ત્યારે જમીનની માથાકૂટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. મહીસાગરના રંગેલીગામે જમીનની માથાકૂટમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરી છે. આરોપીનું નામ વિરાભાઈ માલીવાડ છે. આ વિરાભાઈએ તેમના કાકા માનાભાઈ માલીવાડની હત્યા કરી છે હત્યા કરીને વિરાભાઈ ફરાર થયો હતો. બનાવની જાણ થતાં પરિવાજન ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ભત્રીજાએ કાકનું ઢાળી દીધુ ઢીમ
સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ પણ ઘટનાસ્થળે આવીને તપાસ શરૂ કરી હતી. વૃદ્ધ કાકાની હત્યા બાબતે પોલીસ જીણવટ ભરીને તપાસ કરીને આરોપી ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. જાણવા મળ્યું કે, કાકા માનાભાઈ માલીવાડ અને ભત્રીજા વિરાભાઈ માલીવાડની વર્ષોથી જમીન બાબતે માથાકૂટ ચાલતી હતી.
જમીનની માથાકૂટ પહોંચી હત્યા સુધી
સમાજ દ્વારા જે સમાધાન કરાવવામાં આવ્યુ તે ભત્રીજા વિરાભાઈને મંજૂર ન હતું. અનેક વાર આ બાબતે કાકા-ભત્રીજા વચ્ચે વિવાદ થયો હતો ત્યારે ભત્રીજા વિરાભાઈ દ્વારા કાકા માનાભાઈની જમીનમાં ખેડાણ કરવામાં આવતા ફરીથી વિવાદ થયો અને બંને વચ્ચે થયેલી માથાકૂટ અંતે લોહિયાળ પરિણમી હતી. ભત્રીજાએ વૃદ્ધ કાકાને શરીરના ભાગે માર મારતા વૃદ્ધા કાકાનું ઘટના સ્થળે મોત થયું હતુ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ