બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / VTV વિશેષ / Need to immediately stop the sale of syrup that is a product of death? Otherwise it will be tough
Vishal Khamar
Last Updated: 09:45 PM, 1 December 2023
એવુ અનુમાન દુખ સાથે લગાવવું પડે કે કદાચ આગામી દિવસોમાં રાજ્યમાં કાંડ શબ્દ લોકોને કોઠે પડી જશે. એક પછી એક કાંડ બહાર આવે છે જેનો ભોગ બને છે સામાન્ય લોકો. લઠ્ઠાકાંડ હોય, તક્ષશીલા અગ્નિકાંડ હોય, ઝૂલતા પુલની દુર્ઘટના હોય, કેટલાય લોકો ભોગ બને છે, મોટી-મોટી વાતો થાય છે અને સરવાળે નક્કર કશુ સામે આવતું નથી. હવે નવો કાંડ સામે આવ્યો અને તે છે સિરપકાંડ. ખેડામાં સામાન્યમાં સામાન્ય માણસને પણ સરળતાથી પ્રાપ્ય થાય એવી રીતે પાનના ગલ્લે આયુર્વેદિક સિરપના નામે નશાકારક સિરપ મળતી હતી જેના સેવનથી 6 લોકોના મૃત્યુ થયા. 6 પરિવાર જોતજોતામાં તેના મોભી વગરના થઈ ગયા.
મારે તમારે સૌએ વિચાર કરવાનો છે કે જે સિરપના સેવન બાદ 6 લોકોના જોતજોતામાં મૃત્યુ થઈ જાય એવી સિરપ પાનના ગલ્લે સરળતાથી મળે એવું બને જ કેવી રીતે?. ખેડાના સિરપકાંડ બાદ વીટીવી ન્યૂઝના રિયાલીટી ચેકમાં પણ કડવી હકીકત સામે આવી જેમા ધોળકાના ગામડાઓમાં કેટલાય યુવાનો સોડામાં સિરપ નાંખીને નશામાં ધૂત અવસ્થામાં જોવા મળ્યા હતા. આ એવા દ્રશ્યો હતા જે કેમેરામાં કેદ થયા ત્યારે આખા ગુજરાતમાં તો કેટલાય એવા વિસ્તાર હશે અને કેટલાય એવા પરિવાર હશે જે આવી હૃદયદ્રાવક ઘટનાઓનો ભોગ બન્યા હશે. વ્યક્તિનું મોંત નોંતરે એવી સિરપનું વેચાણ બંધ ક્યારે થશે?
રાજ્યમાં નશીલા સિરપનાં વેચાણનો પર્દાફાશ થયો છે. થોડા સમયથી રાજ્યમાં નશીલા સિરપનાં નેટવર્કનાં ખુલાસા થયા હતા. ખેડાનાં બે ગામમાં નશાકારક સિરપનાં સેવનથી 6 લોકોનાં મૃત્યું થયા હતા. મૃતકો આયુર્વેદિક સિરપનું સેવન કરતા હતા. નશાકારક સિરપનાં ધંધાનો ફરી એકવાર પર્દાફાશ થયો હતો.
સિરપના સેવન બાદ શું અનુભવાયું?
પરિવારજનોએ કર્યો આ દાવો |
માથામાં દુ:ખાવો |
પરસેવો વળવો |
મોંમાંથી ફીણ આવવા |
પેટમાં દુ:ખાવો |
ચક્કર આવ્યા |
આંખે દેખાતું બંધ થઈ જવું |
ઉલટી થવી |
સિરપકાંડ બાદ ક્યાં થઈ તપાસ?
દેવભૂમિ દ્વારકા
ઓખા, આર.કે.બંદર વિસ્તારમાં કાર્યવાહી
સૂત્રધાર સહિત 8 આરોપી ઝડપાયા
પાનની દુકાનમાંથી 132 બોટલ સિરપ જપ્ત
વડોદરા
મહેસાણા
સુરેન્દ્રનગર
ખેડા
મહીસાગર
બોટાદ
બનાસકાંઠા
પાટણ
સુરત
જામનગર
રિયાલીટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા
ખેડામાં સિરપકાંડ બાદ VTV NEWSની ટીમે રિયાલીટી ચેક કર્યું હતુ. જેમાં ધોળકાના ચલોડા ગામમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. યુવાનો નશાયુક્ત સિરપનું સેવન કરતા હતા. યુવાનો નશામાં ધૂત જોવા મળ્યા. નશાકારક સિરપનું બેરોકટોક વેચાણ થતું હતું. ગામના પાદરમાં યુવાનો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. આસપાસના GIDC વિસ્તારમાંથી કફ સિરપ લાવવામાં આવતું હતું. ચલોડા ગામના લોકોએ તંત્રને પણ અનેકવાર રજૂઆત કરી હતી. યુવાનો સોડામાં સિરપ નાંખીને સેવન કરતા હતા.
આસવ અને અસિષ્ટના સેવનની રીત
આસવ અને અરિષ્ટ બંને હર્બલ પીણા છે. બંને ઉત્પાદન દરમિયાન ઈથેનોલ મળે છે. પીણાને જડીબુટ્ટીઓમાં પલાળીને આથો લાવીને બનાવાય છે. જડીબુટ્ટીઓ પાવડર અથવા ઉકાળા સ્વરૂપે હોય શકે છે. ડોઝ લેતા પહેલા તબીબી સલાહ જરૂરી છે. ચેકઅપ બાદ કોર્સ નક્કી થાય છે. અરિષ્ટ કે આસવ બંનેના પરંપરાગત ડોઝ 48 થી 96 મિલી છે. જો ઈથેનોલને બદલે મિથેનોલ બની જાય તો મોટું નુકસાન થઈ શકે છે. ઈથાઈલ આલ્કોહોલ પીણા તરીકે વપરાય છે. મિથાઈલ આલ્કોહોલ પીણા તરીકે વપરાતો નથી. મિથેનોલના સેવનથી વ્યક્તિ આંખ ગુમાવી શકે છે. ખેડા સિરપકાંડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો મત અલગ છે. ખેડા સિરપકાંડમાં મિથેનોલ સિવાય પણ કંઈક ભેળવ્યું હોવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime