બ્રેકિંગ ન્યુઝ
ડબલ્યુઆરઆઇએ પાણીની કમી, પુર અને દુષ્કાળના ખતરાના આધારે 189 દેશો આને તેના પ્રાંતોને પોતાની યાદીમાં અલગ અલગ સ્થાન પર રાખ્યા છે. ભારત માટે આ મોર્ચા પર મોટો પડકાર છે કેમકે તેની વસ્તી જળસંકટનો સામનો કરી રહેલા અન્ય 16 દેશ કરતા ત્રણ ગણી વધુ છે.
ADVERTISEMENT
રિપોર્ટમા જળસંકટની ઓળખ માટે 13 સંકેતોનો ઉપયોગ કરાયો છે. તેમાં ભુજળ ભંડાર અને તેમા આવી રહેલી કમી સામેલ છે. રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતમાં ભુ-ઝળસ્તરની કમી ગંભીર સંકટ છે. ભારતના જળસંસાધન મંત્રાલયના પુર્વ સચિવ અને ડબલ્યુઆરઆઇ ઇંડિયાના સભ્ય શશિ શેખરે કહ્યુ કે હાલમાં ચેન્નાઇની જળસંકટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ હતુ.
આ ઉપરાંત ભારતના અન્ય ભાગમાં પણ પાણીની કમીની સમસ્યા સતત વધી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારત વર્ષા જળ, ભુજળ અને નદિયોમાં રહેલા જળના આંકડાના આધારે સટીક રણનીતિ બનાવીને જળસંકટ સામે લડી શકે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત ભારતના અન્ય ભાગમાં પણ પાણીની કમીની સમસ્યા સતત વધી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારત વર્ષા જળ, ભુજળ અને નદીઓમાં રહેલા જળના આંકડાઓના આધારે સ્પષ્ટ રણનીતિ બનાવીને જળસંકટનો સામનો કરી શકે છે.
રિપોર્ટ મુજબ જળસંકટ સામે લડી રહેલા 17 દેશોમાંથી 12 દેશ પશ્વિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના છે. જળવાયુ પરિવર્તનના કારણે વધી રહેલા જળ સંકટને ગંભીર ખતરો ગણાવાયો છે.
ADVERTISEMENT
ડબલ્યુઆરઆઇના અધ્યક્ષ એન્ડ્ર્યુ સ્ટીરે કહ્યુ કે પાણીની કમી હોવી સૌથી મોટુ સંકટ છે. જેના વિશે આજે કોઇ પણ વાત કરી રહ્યુ નથી. તેમણે કહ્યુ કે આજે જળસંકટના કારણે નાણાકીય અસ્થિરતા પણ ઉદભવી રહી છે. નવી પેઢીના લોકો આ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે, જે પુરતુ નથી. જો આપણે ઠોસ પગલા ન ભર્યા તો માનવ જાતિને મોંઘુ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.