બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વૈષ્ણોદેવી દર્શને જવાનું વિચારતા હોય તો માંડી વાળજો! ભૂસ્ખલનથી યાત્રા રોકવામાં આવી

નેશનલ / વૈષ્ણોદેવી દર્શને જવાનું વિચારતા હોય તો માંડી વાળજો! ભૂસ્ખલનથી યાત્રા રોકવામાં આવી

Last Updated: 05:42 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર આવેલા માતા વૈષ્ણો દેવી મંદિર જવાના નવા માર્ગ પર એક મોટો ભૂસ્ખલન થયુ હતું.આ ઘટનાના કારણે બેટરીવાળી કાર સર્વિસને રોકવામા આવી હતી અને ત્યારબાદ સમયાંતરે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓની ટોચ પર માતા વૈષ્ણો દેવી મંદિર જવાના નવા માર્ગ પર ભૂસ્ખલન થયું.અધિકારીઓએ જણાવ્યું કે માર્ગ પરથી કાટમાળ દૂર કરવામાં આવ્યો છે અને યાત્રા હવે સરળતાથી ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર,સોમવારે ભૂસ્ખલનને કારણે અર્ધ કુંવારી ખાતે વૈષ્ણો દેવી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં કોઈને ઈજા થઈ નથી. યાત્રા કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે છે.

બંધ કરાયેલી બેટરી કાર સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી છે.

નવી માહિતી અનુસાર, ભૂસ્ખલનને કારણે બંધ થયેલી બેટરી કાર સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે.વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને શ્રદ્ધાળુઓને રોક્યા હતા અને રસ્તો સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. કાટમાળ દૂર કર્યા પછી,બેટરી કાર સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

ભક્તો જૂના માર્ગે માતાના દર્શન કરવા જઈ રહ્યા છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા કાટમાળને સાફ કરવા માટે મશીનો મોકલવામાં આવ્યા હતા જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે યાત્રાને જૂના રૂટ પર ડાઈવર્ટ કારવામાં આવી છે અને યાત્રા કોઈપણ વિક્ષેપ વિના ચાલી રહી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમકોટી રૂટ પર સત્યા વ્યૂ પોઈન્ટ નજીક ભૂસ્ખલન થયું હતું જ્યારે યાત્રાળુઓની કોઈ અવરજવર નહોતી.

Vtv App Promotion

કોઈપણ સમસ્યાના કિસ્સામાં,કૃપા કરીને કંટ્રોલ રૂમનો સંપર્ક કરો.

તમને જણાવી દઈએ કે સોમવારે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભારે વરસાદને કારણે,હિમકોટી નજીક અર્ધકુમારીથી ભવન સુધીના બેટરી કાર રૂટ પર ભારે ભૂસ્ખલન થયું હતું.જેના કારણે આ રૂટ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને બેટરી કાર સર્વિસ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ હતી.ભારે વરસાદને કારણે કાટમાળ અને મોટા પથ્થરો રસ્તા પર પડતાં રસ્તો બંધ થઈ ગયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના,બ્લેક બોક્સ પર આવ્યું અપડેટ,મંત્રીએ આપી જાણકારી

ઘટનાની જાણ થતાં જ, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાટમાળ દૂર કરવા માટે જેસીબી મશીનો અને કામદારોની એક ટીમને ઘટનાસ્થળે મોકલી.આ દરમિયાન,શ્રાઈન બોર્ડ વહીવટીતંત્રે ભક્તોને ગભરાશો નહીં,ધીરજ રાખવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમ અથવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vaishnavdevi battery car service Landslide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ