બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચિરાગ પાસવાનું એલાન, બિહારમાં 243 વિધાનસભા સીટ પર ચૂંટણી લડવાની કરી જાહેરાત

નિવેદન / ચિરાગ પાસવાનું એલાન, બિહારમાં 243 વિધાનસભા સીટ પર ચૂંટણી લડવાની કરી જાહેરાત

Chintan Chavda

Last Updated: 04:31 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Assembly Elections 2025: ચિરાગ પાસવાને કહ્યું કે તેની પાર્ટી બિહારની 243 વિધાનસભાની સીટો પર ચુંટણી લડશે. NDA માં સામેલ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વિધાનસભાની ચુંટણી પહેલા આપેલું આ નિવેદન બીજેપી અને જેડીયુની મુશ્કેલી વધારી શકે છે.

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રવિવારે કહ્યું એ તે બિહારના હિત માટે આગામી વિધાનસભાની ચુંટણી લડવા ઈચ્છે છે. તેમને કહ્યું તેના વિરોધીઑ તેમના રસ્તામાં અડચણો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રવિવારે છપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં યોજવામાં આવેલ 'નવ સંકલ્પ મહાસભા' ને સબોધિત કરતાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષે આ મોટું એલાન કરી દીધુ. ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટી બિહારની 243 વિધાનસભાની સીટો પર ચુંટણી લડશે. NDA માં સામેલ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વિધાનસભાની ચુંટણી પહેલા આપેલું આ નિવેદન બીજેપી અને જેડીયુની મુશ્કેલી વધારી શકે છે.

ચિરાગ પાસવાને બિહારની રાજધાની પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'આવી ઘટનાઓ એવી સરકારમાં બની રહી છે જે સુશાસન માટે જાણીતી છે. હું પણ તે સરકારને ટેકો આપું છું. આ ખરેખર ચિંતાનો વિષય છે. હું આ પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ કરીશ નહીં, અને આપણી સરકારે પણ એવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. જો આટલી મોટી ઘટના શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ બને છે, જો તે આવા પોશ વિસ્તારમાં બને છે, તો તે ખૂબ જ ગંભીર બાબત છે. હું સરકાર તેમજ સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છું... પરંતુ આવી ઘટનાઓ આપણી ચિંતામાં વધારે છે... જો (ગોપાલ ખેમકાના) પરિવાર ડરી ગયો છે, તો તે વાજબી છે. આ એક એવો પરિવાર છે જેણે પહેલા પણ આનો સામનો કર્યો છે. શું સ્થાનિક વહીવટીતંત્રે પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી?... તે વહીવટીતંત્રની જવાબદારી હતી.'

ચિરાગ પાસવાને કહ્યું કે હત્યા રાજધાની પટનામાં થાય કે બિહારના કોઈ દૂરના ગામમાં, કાયદો અને વ્યવસ્થા માટે સરકારે જવાબદાર બનવું પડશે. ચિરાગે કહ્યું કે સરકાર જવાબદારીથી ભાગી શકે નહીં. શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ઘટનાઓ બને છે. પોલીસ સ્ટેશન બાજુમાં હતું, અધિકારીઓ એક જ વિસ્તારમાં રહે છે. જો આવી ઘટના આવા પોશ વિસ્તારમાં બને છે, તો તે ચિંતાનો વિષય છે. આપણે જોવું પડશે કે સુશાસનના શાસનમાં ગુનેગારોને આટલી બધી શક્તિ ક્યાંથી મળી. સરકારે ગંભીર બનવું પડશે. એલજેપી પ્રમુખે કહ્યું કે બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગુ થવી જોઈએ, હું તેના સમર્થનમાં છું. તેજસ્વી યાદવનું નામ લીધા વિના તેમણે કહ્યું, 'જ્યારે 2023માં બિહારમાં મહાગઠબંધન સરકાર સત્તામાં હતી, ત્યારે આરજેડીના નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના શિક્ષણ મંત્રી હતા, જેમણે ડોમિસાઇલ નીતિનો અંત લાવ્યો હતો.'

app promo5

વધુ વાંચો: ભાજપનાં નેતા સોમરસનું પાન કરતા કરતા જુગટુના દાવ રમી રહ્યા હતા, પોલીસે ઝડપી લીધા

તેમણે વિપક્ષી પક્ષો પર લોકસભા ચૂંટણી દરમિયાન અનામત અંગે ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો. ચિરાગ પાસવાને કહ્યું, 'વિપક્ષે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ભ્રમિત કરવા માટે ઘણી ખોટી વાતો ચલાવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે પણ અનામતના નામે ભ્રમ ફેલાવ્યો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ ફરીથી ભ્રમ ફેલાવશે. જ્યાં સુધી ચિરાગ પાસવાન જીવિત છે, ત્યાં સુધી અનામત કે બંધારણને કોઈ ખતરો નથી. હું ખાતરી કરીશ કે જ્યારે હું ચોકીદારની ભૂમિકામાં હોઈશ. હું સમાજમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત, અત્યંત પછાત, વંચિત વર્ગના લોકો માટે ચોકીદાર છું.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chirag Paswan Bihar Bihar Assembly Elections 2025
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ