બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 02:50 PM, 4 August 2023
શ્રાવણ વદ પાંચમે દર વર્ષે નાગ પંચમી ઉજવવામાં આવે છે. આ વખતે 3 અને 4 ઓગસ્ટે નાગપંચમી છે. 3 સપ્ટેમ્બરે સાંજે 18.25થી શરૂ થશે અને 4 સપ્ટેમ્બરે સાંજે 4.43 વાગ્યે પુરી થશે. ઉદયતિથિ નિયમ મુજબ નાગપંચમી 4 સપ્ટેમ્બર 2023એ ઉજવવામાં આવશે. નાગપંચમીના દિવસે કાલસર્પ દોષથી મુક્તિના ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનો અંત આવે છે.
શું હોય છે કાલસર્પ દોષ?
જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુ 180 ડિગ્રી પર આમને-સામને આવી જાય છે અને બાકી 7 ગ્રહ તેમની બીજી બાજુ જતા રહે છે ત્યારે કાલસર્પ દોષ થાય છે. કાલસર્પ દોષ 12 પ્રકારના હોય છે. રાશિઓના લગ્ન અને યોગોને જોતા 288 પ્રકારના કાલસર્પ યોગ બની શકે છે.
નાગ પંચમી 2023 કાલસર્પ દોષના ઉપાય
જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ છે અને તમે તેનાથી પીડિત છો તો આ વર્ષે નાગ પંચમી પર ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં જઈને પૂજા કરો. આ મંદિર વર્ષમાં ફક્ત એક જ દિવસ નાગ પંચમીના દિવસે ખુલ છે. કહેવાય છે કે અહીં પૂજા અને દર્શન કરવાથી કાલસર્પ દોષ દૂર થાય છે અને સર્પ ભય ખતમ થાય છે.
રાહુકાળમાં કરો શિવની પૂજા
શ્રાવણનો મહિનો કાલસર્પ દોષ મુક્તિ માટે યોગ્ય માનવામાં આવે છે. કાલસર્પ દોષથી મુક્તિ માટે રાહુકાળમાં ભગવાન શિવની પૂજા કોઈ યોગ્ય જ્યોતિષાચાર્ય પાસે કરાવો. ભગવાન શિવની કૃપાથી કાલસર્પ દોષ દૂર થાય છે.
ચાંદીના નોગ જોડાની પૂજા
કાલસર્પ દોષથી મુક્તિ માટે અમાસ કે નાગ પંચમી પર ચાંદીના નાગ-નાગણના જોડાની પૂજા કરો. ત્યાર બાદ કાલસર્પ દોષથી મુક્તિની પ્રાર્થના કરતા તેમને નદીના જળમાં પ્રવાહિત કરી દો. કાલસર્પ દોષનો ભય ખતમ થઈ જશે.
શિવ તાંડવ સ્તોત્રનો પાઠ
કાલસર્પ દોષથી પીડિત લોકોને ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. મહાકાલના આશીર્વાદથી તમારૂ કલ્યાણ થશે.
ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી પણ કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે ભગવાન શ્રીકૃષ્ણની એવી મૂર્તિઓ કે તસ્વીરો હોય જેમાં તેમણે મોર મુકટ ધારણ કર્યા હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ