બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / MP Mansukh Vasava Lalchol on Superintendent of Rajpipla Civil Hospital
Vishal Khamar
Last Updated: 09:08 PM, 5 September 2023
નર્મદા જીલ્લાનાં રાજપીંપળા સિવિલ હોસ્પિટલની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. ત્યારે અચાનક સાંસદ મનસુખ વસાવાની મુલાકાતને લઈ મેડિકલ ઓફિસર સહિતનાં ર્ડાક્ટરો સિવિલમાં દોડી આવ્યા હતા. રાજપીંપળામાં સિવિલ હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતું ર્ડાક્ટરોનાં અભાવનાં કારણે મુખ્ય સારવાર મળતી નથી. તેમજ દર્દીઓને વડોદરા ખાતે રીફર કરવામાં આવે છે. ડેડિયાપાડા ખાતે હોસ્પિટલનાં ઉદ્ઘાટનને લઈ સાંસદ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી.
ડેડિયાપાડા ખાતે હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને તૈયાર છે: મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
નર્મદા જિલ્લાના રાજપીપળા સિવિલ હોસ્પિટલની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધા બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે મુલકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મે વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જે બાદ મુખ્યમંત્રીએ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ કહ્યું કે, આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ધાટન કરો. ડેડિયાપાડા ખાતે હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને તૈયાર છે.
કોઈક કારણોસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટર આવતા નથીઃ મનસુખ વસાવા (ભરૂચ)
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેમની ટીમ તેમનાં કમિશનર આદિવાસી વિસ્તારમાં સારા ડૉક્ટરો મુકવા રાજી નથી. કોઈને કોઈ પ્રકારનુ બહાનુ કાઢે છે. આ જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની છે અને આરોગ્ય કમિશનરની છે. પહેલા તો હોસ્પિટલમાં ક્વોલીફાઈડ ર્ડાક્ટર પણ ન હતા. ત્યારે આજે તો ઘણુ બધુ પરિવર્તન છે. તેમજ ઘણી બધી સુવિધા સાથે સજ્જ હોસ્પિટલ બનાવવામાં આવે છે. પણ કોઈકને કોઈક કારણોસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટર આવતા નથી. અને આવે છે તો કામ ચલાઉ તેવુ જણાવી સાંસદ મનસુખ વસાવાએ પોતાનો બળાપો કાઢ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime