બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 07:28 PM, 5 November 2023
રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટએટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.
શું કહ્યું ડો.ચિરાગ દોશીએ ?
હાર્ટએટેકને લઈ શનિવારે યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, લોકોને સાચી સમજણ પડે તે માટે આજે વાત કરવાની છે. યુવાન લોકોમાં હ્રદય રોગ ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. જેથી અમે ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. અચાનક મૃત્યુ થવું તેને સડન ડેથ કહીએ છીએ. હ્રદય થી સંબંધિતને કાર્ડિયાક અરેસ્ટ કેહવાય છે. યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે.
જાણો કેમ આવે છે હાર્ટઍટેક ?
શનિવારે ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, હ્રદયને ચલાવવા માટે ધમનીઓ હોય છે, ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે હાર્ટ એટેક આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, મગજનો પણ એટેક આવી શકે છે. વધારે શ્રમ કરવાને કારણે હાર્ટ બીટ વધી જતી હોય છે, હાર્ટ રેટ 180 થઈ જાય તો વધુ લોહી જમાં થવા લાગે છે. આ સાથે જો વધુ લોહી જમા થવાને કારણે માનવીનું મૃત્યુ ઈલાજ ન મળવાને કારણે થતું હોય છે-. મુખ્ય નળી હાર્ટમાંથી બહાર આવતી હોય છે, મુખ્ય નળીમાં તકલીફ થાય તો પણ મૃત્યુ થતું હોય છ. લોહીની ગાંઠ અને ફેફસામાં લોહી ન પહોંચે તો પણ મૃત્યુ થઈ શકે છે.
હાર્ટઍટેક જવાબદાર કારણો
શનિવારે ડો.ચિરાગ દોશીએ કહ્યું કે, આ રોગ પરિવારમાં ચાલતો રોગ છે. 55 વર્ષ પેહલા જો આ રોગ કોઈને આવ્યો હોય તો આ રોગ થઈ શકે છે. લાઇફ સ્ટાઇલ પણ એટલી જ જવાબદાર કારણ છે. હાર્ટઍટેકમાં બ્લડ પ્રેશર મુખ્ય કારણછે. હોસ્પિટલ આવતા દર્દીઓમાંથી 30% દર્દીઓ બ્લડ પ્રેશરના હોય છે. સ્મોકિંગ અને ટોબેકો પણ જવાબદાર છે. જંક ફૂડ પણ હ્રદય રોગ માટે જવાબદાર છે. બટર, ચીઝ, ઓઇલનું વગેરે પ્રમાણ હાર્ટઍટેક માટે જવાબદાર હોય છે. ઈન એક્ટિવ લાઇફ, 30% થી 35% લોકો ફિઝિકલ એક્ટિવ નથી. આ સાથે તેમણે કહ્યું કે, સામાન્ય પણે 10 થી 11 કિમી દિવસ દરમિયાન ચાલવું જોઈએ. તો સ્પર્ધાત્મક નોકરીઓમાં જવાબદારીઓથી વધતો સ્ટ્રેસ પણ હાર્ટઍટેક માટે જવાબદાર હોવાનું ડો.ચિરાગ દોશીએ કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime