બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Hiralal
Last Updated: 06:52 PM, 2 August 2023
મોદી સરનેમ માનહાની કેસમાં દોષી ઠરીને 2 વર્ષની સજા મેળવનાર રાહુલ ગાંધીએ આ કેસમાં માફી માગવાનો ઈન્કાર કરી દીધો છે. હકીકતમાં રાહુલ ગાંધીએ તેમની 2 વર્ષની સજાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે અને સુપ્રીમ ચુકાદા પહેલા રાહુાલ ગાંધીએ એક એફિડિવેટે દાખલ કરીને આ કેસમાં માફી ન માગવાની ઘસીને ના પાડી દીધી છે. માફી ન માગવા પાછળનું કારણ કહેતા રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી કારણ કે પ્રથમ દ્રષ્ટિએ મારી સામે માનહાનીનો કોઈ કેસ બનતો નથી.
‘Modi surname’ remark defamation case | Congress leader Rahul Gandhi tells Supreme Court that he has always maintained that he is not guilty of offence and that the conviction is unsustainable and if he had to apologise and compound the offence, he would have done it much… pic.twitter.com/SZk3hNfvw4
— ANI (@ANI) August 2, 2023
રાહુલે સુપ્રીમમાં દાખલ કરી એફિડેવિટ
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામેનો કેસ અપવાદ છે, જેને ધ્યાનમાં રાખીને સજા પર રોક લગાવવી જોઈએ. રાહુલ ગાંધીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા 2019ના માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ સોગંદનામામાં શું કહ્યું?
રાહુલે પોતાની એફિડેવિટમાં કહ્યું કે "પૂર્ણેશ મોદીએ મારી સામે 'ઘમંડી' શબ્દનો ઉપયોગ ફક્ત એટલા માટે કર્યો હતો કારણ કે તેમણે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને આ મામલો કોર્ટ પર છોડી દીધો હતો. માફી માંગવાથી આ કેસમાં ચાલી રહેલી સુનાવણીની દિશા બદલાઈ શકે છે. ઉપરાંત ફોજદારી પ્રક્રિયા અને આરપી એક્ટ હેઠળ તેના પરિણામોનો ઉપયોગ કરવો એ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ ભૂલ વગર માફી માંગવાની ફરજ પાડી શકાય નહીં. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગુનાહિત પ્રક્રિયાની સાથે ન્યાયિક પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં.
Rahul Gandhi's affidavit also states - He has an ‘exceptional' case considering the offence being a trivial offence, and the irreparable harm that accrues to him, as an elected MP...On the other hand, there is no prejudice caused at all to the complainant. It is therefore prayed…
— ANI (@ANI) August 2, 2023
4 ઓગસ્ટે સુપ્રીમનો આવશે ચુકાદો
સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. રાહુલ ગાંધીએ તેમની સજાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો છે. ચુકાદા પહેલા રાહુલ ગાંધી પાસે માફી માગીને છૂટવાની તક હતી પરંતુ હવે રાહુલનું શું થશે તે 4 ઓગસ્ટે ખબર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ