આ વર્ષે શરદ પૂનમમાં દિવસે શુભ સંયોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 13 ઓક્ટોબર રવિવારના શરદ પૂનમ પર 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સઆથે દ્રષ્ટિ સંબંધ થવાથી બનશે, જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. શરદ પૂનમ પર શુભ યોગ બનવાથી આ દિવસ વધારે ખાસ થઇ જશે.
આસો મહિનાની આ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે.. માન્યતા અનુસાર,આ તિથિએ દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે જાગીને દેવીની પૂજા કરતું હોય તેની ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ શરદ પૂનમે મહાલક્ષ્મી યોગમાં દેવીની પૂજા કરવાનું સૌભાગ્ય 30 વર્ષ પછી મળી રહ્યું છે. જેનાથી આ વર્ષે શરદ પૂનમે સ્વાસ્થ્યની સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો યોગ બની રહ્યો છે.
ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ:
આ વર્ષે શરદ પૂનમ પર ચંદ્ર મીન રાશિ અને મંગળ કન્યા રાશિમાં રહેશે. આ પ્રકારે બંને ગ્રહ સામ-સામે રહેશે. તો મંગળ હસ્ત નક્ષત્રમાં રહેશે. જે ચંદ્રના સ્વામિત્વવાળું નક્ષત્ર છે. આ પહેલા ગ્રહોની આવી સ્થિતિ 14 ઓક્ટોબર 1989માં બની હતી. જો કે 6 ઓક્ટોબર 2006 અને 20 ઓક્ટોબર 2002માં પણ ચંદ્ર અને મંગળનો દ્રષ્ટિ સંબંધ બન્યો હતો, પરંતુ મંગળ, ચંદ્રના નક્ષત્રમાં ન હતો. તે સિવાય ચંદ્ર પર બૃહસ્પતિની દ્રષ્ટિ પણ પડવાથી ગજકેસરી નામનો એક બીજો શુભ યોગ પણ બની રહ્યો છે.
શું કરો શરદ પૂનમ પર:
આ રાતે ગ્રહણ કરવામા આવેલી ઔષધિ વધારે લાભ પહોંચાડે છે
શરદ પૂનમ પર ચંદ્રની કિરણો લાભ પહોંચાડે છે. આજ કારણે આ દિવસે રાત્રે ચંદ્રની રોશનીમાં બેસવું જોઇએ અને આમ કરવાથી મનને શાંતિ મળે છે, તણાવ દૂર થાય છે.
શરદ પૂનમના ચંદ્રને ખુલ્લી આંખો જુઓ, જેથી આંખોની સમસ્યાઓ દૂર થઇ જાય.
આ દિવસે વ્રત કરો અને પૂનમની રાત્રે જાગરણ પણ કરો. વ્રત કરનારને ચંદ્રને અર્ધ્ય આપ્યાપછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ.
આ દિવસે કરો મહત્વપૂર્ણ કામો:
આ દિવસે પ્રોપર્ટી, રોકાણ અને મહત્વપૂર્ણ લેન-દેન કરવાથી ધનલાભ થવાની સંભાવના વધી જશે. જોબ અને બિઝનેસ કરનાર લોકો માટે આખો દિવસ ફાયદાકારક રહેશે અને સેવિંગમાં વધારો થશે. આ દિવસે કોઇ પણ નવું કામ કરી શકાય છે. આ દિવસે કરવામાં આવેલાં કામ લાંબા સમય સુધી ફાયદો આપનારા રહેશે.