બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Maharashtra Governor Says He Conveyed To PM "Desire" To Step Down
Hiralal
Last Updated: 04:25 PM, 23 January 2023
ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું કે મેં પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી કે મને તમામ પ્રકારની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. રાજ્યપાલે કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીઓમાંથી પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
During the recent visit of the Hon'ble Prime Minister to Mumbai, I have conveyed to him my desire to be discharged of all political responsibilities and to spend the remainder of my life in reading, writing and other activities.
— Governor of Maharashtra (@maha_governor) January 23, 2023
બાકીનું જીવન વાંચન, લેખનમાં પસાર કરવા માગે છે
રાજભવન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રાજ્યપાલ કોશ્યારીએ પોતાનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય નવરાશની પ્રવૃત્તિઓ પસાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કોશ્યારીએ કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રના લોકો તરફથી મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. મને હંમેશાં માનનીય વડા પ્રધાન તરફથી પ્રેમ અને સ્નેહ મળ્યો છે.
I have always received the love and affection from the Hon’ble Prime Minister and I hope to receive the same in this regard.
— Governor of Maharashtra (@maha_governor) January 23, 2023
અવનવા નિવેદનો આપીને જગાવી હતી ચર્ચા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ઘણા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે. વિપક્ષે પણ તેમના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું. જે બાદ વિપક્ષ તેમજ રાજ્ય સરકારના ઘણા નેતાઓએ તેમની ટીકા કરી હતી. રાજ્યપાલ કોશ્યારીએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જુના જમાનાના આઈકોન હતા. તેમણે બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને તેમના આદર્શ ગણાવ્યાં હતા. તેમના આ નિવેદન પર મોટો વિવાદ થયો હતો અને નેતાઓ ઉકળી પડ્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ