બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Launch of 9 Vande Bharat trains together today by PM Modi

આનંદો / PM મોદીના હસ્તે આજે એકસાથે 9 વંદે ભારત ટ્રેનોનું લોકાર્પણ, સૌરાષ્ટ્રને મળશે પ્રથમ વંદે ભારત

Vishal Khamar

Last Updated: 08:25 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડા પ્રધાન ગુજરાત સહિત દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. જેમાં સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળશે. જે ટ્રેન જામનગરથી અમદાવાદા વચ્ચે દોડશે. વંદે ભારત ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ લેશે.

  • આજે દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની મળશે ભેટ 
  • વર્ચ્યૂઅલી PM મોદી 9 ટ્રેનની કરાવશે શરૂઆત 
  • આજે સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળશે

 આજે દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપશે.  આજે વડાપ્રધાન મોદી 9 ટ્રેનની શરૂઆત કરાવશે. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થશે. ત્યારે જેમાં જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. 

જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત શરૂ થશે 
પ્રધાનમંત્રીએ આજે દેશને 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી રીતે 9 ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. 9 ટ્રેનની ભેટ સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન 6 સ્ટોપ કરશે.  જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. 

જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે

આજે હાપાથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. આ ટ્રેન વહેલી સવારે 5.30 વાગ્યેથી રવાનાં થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનમાં જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે. અમદાવાદથી જામનગર 1120 રૂપિયામાં મુસાફરી કરી શકશે. તેમજ જામનગરથી અમદાવાદ એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડું 1790 રૂપિયા હશે. તેમજ અમદાવાદથી જામનગર એક્ઝીક્યુટિવ ક્લાસનું ભાડું 1985 રૂપિયા હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ