બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 01:10 PM, 26 December 2022
અમદાવાદના સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ છે. આ સાથે સરકારી અંગ્રેજી શાળાઓમાં કાયમી શિક્ષકો નથી તો હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ હોવાનું સામે આવ્યું છે. AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નહીં હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ સામે આવી છે. વિગતો મુજબ હાલમાં ધોરણ 1થી 5ના શિક્ષકોનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં ધોરણ 1થી 5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલ છે. 54માંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક નથી. એટલે કે, AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નથી. સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં 8 હજાર 88 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક છે. અંગ્રેજી માધ્યમમાં 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ છે.
હિન્દી માધ્યમમાં શું છે હાલત ?
હાલમાં હિન્દી માધ્યમમાં પણ ખૂબ ખરાબ હાલત હોવાનું સામે આવ્યું છે. હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ છે. કાયમી શિક્ષકો ન હોવાથી પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો છે. જોકે અનેક સ્કૂલોમાં તો એક પણ કાયમી શિક્ષક પણ નહિ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી શિક્ષણની વાતો બીજી તરફ શિક્ષકો વિનાની શાળા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં હિન્દી માધ્યમમાં ધોરણ 1થી 5ની 54 સ્કૂલ છે, જેમાં 16 હજાર 964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક છે, 459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે સ્કૂલો ચાલે છે. વિગતો મુજબ હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ તો હિન્દી માધ્યમની 4 સ્કૂલ એકપણ કાયમી શિક્ષક નથી. જેને લઈ હિન્દી માધ્યમની શાળાઓ પણ પ્રવાસી શિક્ષકોના ભરોસે છે.
શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ?
આ તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હાલ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ખૂબ ખરાબ સ્થિતિ છે. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષકો નથી એવું સાંભળ્યું હતું પણ હવે તો સ્માર્ટ સિટીમાં જ શિક્ષકો નથી તેવું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહી છે, સરકાર ત્વરિત ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરે.
અંગ્રેજી માધ્યની શાળાની સ્થિતિ શું છે? | હિન્દી માધ્યમની શાળાની સ્થિતિ શું છે? |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime