બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Khevna
Last Updated: 11:21 AM, 3 May 2022
વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં મનાવાય છે અખાત્રીજ
કૃષ્ણની નગરી વૃંદાવનમાં સ્થિત સપ્ત દેવાલયોમાં અખાત્રીજનાં પર્વની તૈયારીઓ થઇ ગઈ છે. અહીનાં બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીની શીતળતા પ્રદાન કરવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે. મંગળવારે એટલે કે આજે અખાત્રીજનાં દિવસે વર્ષમાં એકવાર બાંકે બિહારી પોતાના ભક્તોને ચરણ દર્શન આપશે. વર્ષમાં એકવાર થનાર ઠાકુરજીનાં ચરણ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી પહોંચે છે.
મોટી સંખ્યામાં પહોંચે છે શ્રદ્ધાળુઓ
વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરમાં દર્શન માટે આમ તો રોજ હજારો શ્રદ્ધાળુઓ દેશનાં ખૂણેખૂણેથી પહોંચે છે, પરંતુ અક્ષય તૃતીયાનાં દિવસે અહી વર્ષમાં માત્ર એકવાર ઠાકુરજીનાં દર્શન થાય છે. આવામાં કોઈપણ શ્રદ્ધાળુ પોતાના આરાધ્યનાં ચરણનાં દર્શનની અદભૂત ક્ષણો છોડવા માંગે નહીં, એટલે મોટી સંખ્યામાં આ દિવસે શ્રદ્ધાળુઓ અહી આવે છે. માન્યતા છે કે પ્રભુનાં ચરણોનાં દર્શન કરવાથી ભક્તોને વીશેષ કૃપા મળે છે. સાથે જ આ દિવસે ભગવાનનાં ચરણો પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે.
આ કારણે નથી થતા ચરણોનાં દર્શન
પૌરાણિક કથા અનુસાર, બાંકે બિહારીનાં અદ્ભુત રૂપમાં સાક્ષાત રાધા અને કૃષ્ણ સમ્મિલિત છે. સ્વામી હરિદાસજીએ તેમને પોતાની ભક્તિ અને સાધનાથી પ્રગટ કર્યા હતા. લગભગ પાંચ સો વર્ષ પહેલા જ્યારે નિધિવનમાં બાંકે બિહારીજી પ્રગટ થયા હતા, ત્યારે હરિદાસજી આખો દિવસ ઠાકુરજીની સેવા કરતા હતા. ઠાકુરજીની સેવા કરતા કરતા આર્થિક સંકટ પણ આવી ગયો હતો. એક દિવસ સ્વામીજી જ્યારે ઉઠ્યા, ત્યારે ઠાકુરજીનાં ચરણોમાં એક સ્વર્ણ મુદ્રા જોઈ. આ મુદ્રાથી તેમણે ઠાકુરજીની સેવા અને ભોગરાગની વ્યવસ્થા કરી. ત્યાર બાદ જ્યારે પૈસાની જરૂર પડતી, ત્યારે ઠાકુરજીનાં ચરણોમાંથી એક સ્વર્ણ મુદ્રા મળી આવતી. એટલા માટે ઠાકુરજીનાં ચરણોનાં દર્શન કરાવવામાં આવતા નથી. ત્યારે અક્ષય તૃતીયાનાં દિવસે ભક્તો માટે ઠાકુરજીનાં ચરણોનાં દર્શન કરાવવામાં આવ્યા, ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે. માન્યતા છે કે ઠાકુરજીનાં ચરણોનાં દર્શન કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime