ઉત્તરાખંડના પિથૌરાગઢથી કૈલાસ માનસરોવરની યાત્રામાં વધુ એક અધ્યાય જોડાઇ ગયો છે. હવે ઉત્તરાખંડના પારંપરિક લિપૂલેખા-ધારાચૂલા માર્ગ બની જતા તીર્થયાત્રી હવે નવા રસ્તાની મદદથી કૈલાશ માનસરોવરના ત્રણ અઠવાડિયાની યાત્રા એક જ અઠવાડિયામાં પૂરી કરી લેશે.
80 કિલોમીટરના નવા રસ્તાથી કરી શકાશે કૈલાસ માનસરોવરની યાત્રા
ઉત્તરાખંડના રસ્તાથી કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની પ્રધાનમંત્રીનુ સપનુ થયુ પૂરુ
રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા શુક્રવારે વીડિયો કોન્ફરસિંગની મદદથી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સીડીએસના જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ એમ એમ નરવણે અને બીઆરઓના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ હરપાલ સિંહ પણ હાજર હતા.આ વિસ્તાર ખૂબ જ દુર્લભ છે. તે સિવાય ચીનની બોર્ડર પણ અહીંયાથી નજીક છે.
ઉદ્ધાટન સમારોહ બાદ રાજનાથ સિંહે કહ્યું- કૈલાશ માનસરોવર જતા શ્રદ્ધાળુઓ માટે મોટી મુશ્કેલી હવે આસાન બની ગઇ છે. હવે તેઓ ત્રણ અઠવાડિયાની યાત્રા એક જ અઠવાડિયામાં પૂરી કરી લેશે. આ સાથે સ્થાનિક લોકો અને તીર્થયાત્રીઓનું દાયકા જૂનું સપનું પણ સાકાર થઇ ગયું છે. આ રોડ ઘાટિયાબાગડથી શરૂ થાય છે અને લિપૂલેખમાં ખતમ થાય છે. અહીંથી જ કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થાય છે. રાજનાથે સિંહે આગળ કહ્યું- હવે અહીં આર્થિક વિકાસ પણ ઝડપી બનશે.
આર્મી માટે પણ આ માર્ગનું ખાસ મહત્વ છે. ચીનની બોર્ડર પર સૈનિકોની તૈનાતી અને આપૂર્તિ સરળ બનશે. શુક્રવારે અહીં 9 વાહન રવાના કરવામાં આવ્યા. દરેક ગાડીઓ બીઆરઓ અને ITBPની હતી. પ્રોજેક્ટના ચીફ એન્જિનિઅર વિમલ ગોસ્વામીએ કહ્યું- આ મોટી સફળતા છે. દર્શન બાદ શ્રદ્ધાળુઓ માત્ર એક દિવસમાં દેશમાં પરત આવી શકશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ આ માર્ગને તૈયાર કરવા માટે એપ્રિલ 2020ની ડેડલાઇન નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર માટે કૈલાશ માનસરોવરના યાત્રીઓની સુવિધા હંમેશા મહત્વનો મુદ્દો રહી. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમણે સિક્કિમમાં નાથુલા માર્ગ ખોલવા માટે આગ્રહ કર્યો હતો, જે તેમણે માની લીધો હતો. લિપુલેખ દર્રેના પાર ચીનની સીમાથી માનસરોવરની દૂરી માત્ર 72 કિલોમીટર છે અને આ સીમાથી ચીને પહેલાથી શાનદાર રસ્તા બનાવી રાખ્યા છે.