બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh gathila umadham 14th patotsav naresh patel darshan maa umiya
Dhruv
Last Updated: 11:10 AM, 10 April 2022
જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ઉમિયા માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાશે. ત્યારે નરેશ પટેલે ગાઠીલા ખાતે ઉમિયા માતાજીના પાટોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, માં ઉમિયા ખોડલ એટલે કડવા પટેલ અને લેઉવા પટેલ. કડવા અને લેઉઆ પટેલ હવે એક જ ગણાશે. કડવા-લેઉઆ પાટીદારે હવેથી એક થવાનો નિર્ણય કરેલ છે. જો કે, નરેશ પટેલે આ પ્રસંગે કોઇ પણ પ્રકારની રાજકીય પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
જૂનાગઢના ગાઠીલા ખાતે ઉમિયા માતાજી મંદિરના પાટોત્સવમાં હાજરી આપ્યા બાદ નરેશ પટેલનું નિવેદન: કડવા અને લેઉવા પટેલ હવે એકજ ગણાશે#Junagadh #UmiyaMataPatotsav #nareshpatel #UmiyaMatajiTemple pic.twitter.com/9TcFwxW3ck
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે
વધુમાં તમને જણાવી દઇએ કે, વંથલી તાલુકાના ગાંઠીલા ગામે આવેલા મા ઉમિયાધામ ખાતે આજ રોજ 10 એપ્રિલે રામનવમીના દિવસે 14માં મહાપાટોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉપસ્થિત પાટીદાર સમાજને સંબોધન કરશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.
— Narendra Modi (@narendramodi) April 9, 2022
આશરે 50 હજાર લોકો મહાપ્રસાદ લેશે
આ પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તેમજ આશરે 50 હજાર લોકો મહાપ્રસાદ લેશે. કેશોદ, માણાવદર, વંથલી જેવા નજીકના ગામો-શહેરોમાંથી યુવાનો પદયાત્રા કે બાઇક રેલી કાઢીને ઉમાધામ ગાંઠીલા પહોંચશે. તદુપરાંત આ તકે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં સામાજિક સંમેલન બાદ સાંજે દાતાઓનું સન્માન અને રાતે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ