બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jignesh Mevani's statement on the matter of the young man being beaten while going to collect salary in Raniba Industries
Dinesh
Last Updated: 04:14 PM, 24 November 2023
મોરબીમાંથી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અનુસુચિત જાતિના આગેવાનો, મહિલાઓ સહિતના લોકો કલેકટર કચેરીએ પહોચ્યા હતા. અત્રે જણાવીએ કે, બે દિવસ અગાઉ પગાર લેવા ગયેલા યુવાનને 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત અન્ય કેટલાક શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
જીગ્નેશ મેવાણીનું નિવેદન
મોરબી રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા જતા યુવાનને માર પડ્યાની ઘટના પ્રકાશમાં આવતા ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. એટ્રોસીટીમાં સજા ન થવાને લીધે આવી ઘટનાઓ બને છે. તેમણે આ ઘટનાને નીમ્ન સ્તરની ગણાવી છે તેમજ ઓછા સમયમાં આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
'જાતિવાદી તત્વોમાં મેસેજ..': જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ભારતભરમાં દલિતો પર થતાં અત્યાચારની ઘટનામાં સજાનો દર 100માંથી 36 ટકા છે, એટલે કે, અત્યાચારની 100 ઘટના બને ત્યારે માત્ર 36 ઘટનામાં સજા થાય છે. વધુમાં કહ્યું કે, જ્યારે ગુજરાતમાં આવા કિસ્સાઓમાં સજાનો દર માત્ર 5 ટકા જ છે. જેના કારણે જાતિવાદી તત્વોમાં એવો મેસેજ ગયો છે કે, દલિતોના આત્મસન્માનમાં ચેડા કરો તેમજ બાઈક પર જય ભીમ લખાવો ત્યારે મારો તેમજ મૂછ રાખો ત્યારે હુમલો કરો કે પંદર દિવસનો વેતન માગવા પર માર મારવો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ