બ્રેકિંગ ન્યુઝ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
VTV / મનોરંજન / બોલિવૂડ / Jiah Khan Case hearing cbi special court may give final verdict on 28th april
Arohi
Last Updated: 09:39 AM, 21 April 2023
પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાના લગભગ દસ વર્ષ બાદ, મુંબઈની એક સ્પોશિયલ સીબીઆઈ કોર્ટ 28 એપ્રીલે બોલિવુડ એક્ટ્રેસ જિયા ખાન સુસાઈડ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.
આ મામલામાં જિયાના બોયફ્રેન્ડ અને ફિલ્મ સ્ટાર સુરજ પંચોલી પર એક્ટ્રેસને ઉકસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સીબીઆઈના સ્પેશિયલ જજ સૈય્યદે ગુરૂવારે બે પક્ષોની અંતિમ દલીલો સાંભળી અને મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
જિયા ખાન સુસાઈડ કેસમાં આરોપી છે સુરજ પંચોલી
25 વર્ષની એક્ટ્રેસ જીયા ખાન 3 જૂન, 2013એ પોતાના જૂહુના ઘરમાં મૃત મળી આવી હતી. પોલીસને ઘરમાંથી છ પન્નાનો એક લેટર મળ્યો જેને કથિત રીતે બોલિવુડ સ્ટારે લખ્યો હતો. તેના આધાર પર સુરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરૂદ્ધ એક્ટ્રેસને આત્મહત્યા માટે 'ઉકસાવવા'નો મામલો નોંધવામાં આવ્યો.
આ મામલાને 2021માં એક સ્પેશિયલ સીબીઆઈ કોર્ટને સોંપી દિધો હતો. જ્યારે સેશન કોર્ટે કહ્યું હતું કે આ મામલા પર તેમનો અધિકાર ક્ષેત્ર નથી કારણ કે કન્દ્રીય તપાસ બ્યૂરોએ તેની તપાસ કરી હતી.
જિયાના માતા રાબિયાએ એક્ટ્રેસની હત્યાની વાત કહી
ત્યાં જ દિવંગત એક્ટ્રસ જિયાના માતા રાબિયા ખાને કોર્ટને જણાવ્યું કે તેમનું માનવું છે કે આ હત્યાનો મામલો છે ન કે આત્મહત્યાનો. જોકે મુંબઈ હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલાની ફરીથી તપાસ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
રાબિયાએ સુરજ પંચોલી પર લગાવ્યા હતા ગંભીર આરોપ
પોતાના નિવેદન વખતે રાહિયાએ સીબીઆઈ કોર્ટને જણાવ્યું હતું કે સુરજ જીયાની સાથે ફિઝિકલી અને મોખિક દુર્વ્યવહાર કરતો હતો. રાબિયાએ કોર્ટને કહ્યું હતું કે પોલીસ અને સીબીઆઈ બન્નેમાંથી કોઈએ આ સાબિત કરવા માટે કોઈ 'કાયદેસર પુરાવા' ભેગા કર્યા હતા કે દિકરીએ આત્મહત્યા કરી હતી.
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સ્ટારર હિંદી ફિલ્મ 'નિશબ્દ'માં પોતાના અભિનય માટે જાણીતી બનેલી એક્ટ્રેસ જીયાએ પોતાના ઘર પર ગળોફાંસો ખાઘો હતો. તેના માતાએ તેને આ રીતે સૌથી પહેલા જોઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ