બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજે એટલે કે 20 ફેબ્રુઆરીનાં રોજ શુક્લ પક્ષની એકાદશી છે. આજની આ એકાદશીનાં દિવસે જયા એકાદશીનો વ્રત રાખવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. પદ્મ પુરાણ અનુસાર આ વ્રત રાખવાથી વ્યક્તિને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે. જયા એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનની સાથે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી પર પૂજા કરવાનો શુભ મુહૂર્ત 20 ફેબ્રુઆરીનાં સવારે 9.45થી બપોરે 2 વાગ્યા સુધી છે.
પારણું ક્યારે કરી શકાશે?
બધી એકાદશી વ્રત એકાદશી તિથિનાં સૂર્યોદયથી દ્વાદશી તિથિનાં સૂર્યોદય સુધી રાખવામાં આવે છે. એકાદશી વ્રતનું પારણું દ્વાદશી તિથિનાં રોજ સૂર્યોદય બાદ થાય છે. જયા એકાદશી વ્રતનું પારણું 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 6.55 વાગ્યાથી સવારે 9.11 સુધી કરી શકાશે. સ્નાન બાદ સામાન્ય પૂજા કરીને વ્રતનું પારણું કરી શકાશે.
ADVERTISEMENT
યુધિષ્ઠિરે રાખ્યું હતું વ્રત
પદ્મ પુરાણ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે પાંડુ પુત્ર યુધિષ્ઠિરને એકાદશી તિથિનું મહત્વ જણાવતાં આ વ્રત કરવા માટે કહ્યું હતું. પદ્મ પુરાણ અનુસાર જયા એકાદશી પ્રાણીનાં આ જન્મ તેમજ પૂર્વ જન્મનાં તમામ પાપોનો નાશ કરનારી ઉત્તમ તિથિ છે. શાસ્ત્રો અનુસાર જે લોકો જયા એકાદશીનું વ્રત કરે છે તેમને કોઈપણ પિશાચ કે પ્રેત યોનિમાં જવું નથી પડતું અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શ્રીવિષ્ણુની પૂજા કરવી
જયા એકાદશીનાં વ્રત પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે જાતક તમામ પ્રકારનાં દાન કરે. આ વ્રત કરવાથી વ્રતીઓને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. જયા એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર, ચંદન, જનોઈ, ગંધક, અક્ષત, પુષ્પ, તલ, ધૂપ-દીપ, નૈવૈદ્ય, પાન, નારિયેળ અર્પિત કરવું. તુલસી પણ અર્પિત કરવું પણ પહેલાથી જ પાન તોડી રાખવા. એકાદશીનાં દિવસે તુલસીનો સ્પર્શ ન કરવો.
ADVERTISEMENT
વધુ વાંચો: ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ
આજનાં દિવસે આટલું કામ ન કરવું
જયા એકાદશીનો વ્રત કરતાં તમયે તામસિક ભોજનનું સેવન ન કરવું. વ્રત રાખો કે ન રાખો ચોખ્ખાનું સેવન ન કરવું અને આજનાં દિવસે કોઈનું ખરાબ નહીં બોલવું. આ દિવસે વ્રત રાખનારા જાતકોએ નખ, વાળ, દાઢી વગેરે ન કાપવું. મહિલાઓએ વાળ ન ધોવા.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.