બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / try to keep these places of home clean because of Rahu vas

ધર્મ / ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ

Vaidehi

Last Updated: 04:37 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનાં કેટલાક ચોક્કસ સ્થાન પર રાહુ વાસ કરે છે તેથી ભૂલથી પણ આ સ્થાનોમાં ગંદકી થવા દેવી નહીં..નહીંતર પરિવાર પર મુશ્કેલી આવી શકે છે.

  • વાસ્તુશાસ્ત્રમાં ઘર-પરિવારને લઈને અનેક નિયમોનો ઉલ્લેખ
  • માન્યતા અનુસાર ઘરનાં કેટલાક સ્થાન પર રાહુ વાસ કરે છે
  • આ સ્થાનને અસ્વચ્છ રાખવાથી પરિવાર પર મુશ્કેલી આવી શકે છે

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી ચીજો લખેલી છે જેનું પાલન કરવાથી ઘરમાં સુખાકારી જળવાઈ રહે છે. ઘણી વખત નાની-અજાણી ભૂલને લીધે પણ સમગ્ર પરિવાર અશાંતિનો ભોગ બનતો છે. તેવામાં જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ઘરનાં કેટલાક ખૂણા અને એરિયા હંમેશા સાફ-સ્વચ્છ રાખવા જોઈએ. શાસ્ત્રોમાં રાહુ-કેતુને માયાવી ગ્રહ એટલે કે પાપી ગ્રહ કહેવામાં આવ્યું છે. માન્યતા અનુસાર ઘરનાં કેટલાક ખૂણામાં રાહુ વાસ કરતાં હોય છે. જો એ ખૂણો અથવા તો એરિયા સાફ ન હોય તો ઘરમાં કંકાસ થવા લાગે છે.

રાહુ-કેતુ
શાસ્ત્રો અનુસાર રાહુ - કેતુ હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે અને અશુભ થવા પર મોટી મુશ્કેલીઓ આપે છે. ઘરનાં કેટલાક સ્થાનો પર રાહુ વિરાજમાન હોય છે અને જો રાહુને કષ્ટ પહોંચે તો શક્ય છે કે તેની અસર તમારા ઘર એટલે કે પરિવાર પર પડી શકે છે. રાહુ દુખી થતાં પરિવારમાં દુખ, ગરીબી, કષ્ટ, વિવાદ વગેરે પેદા થાય છે. ખરાબ રાહુ દુર્ઘટનાનો શિકાર બની શકે છે અને ઘરની સુખ-સમૃદ્ધિ, શાંતિ છીનવી શકે છે.

આ સ્થાનો પર રાહુ વાસ કરે છે
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં બાથરુમ, ટોયલેટ, દાદરા અને છત પર રાહુ વિરાજમાન છે એવું માનવામાં આવ્યું છે.  આ જગ્યાઓનું વાસ્તુશાસ્ત્ર અનુસાર સાચી દિશામાં હોવું જરૂરી છે નહીંતર ખોટી દિશામાં બાથરૂમ, દાદરા હોવું વાસ્તુદોષ પેદા કરી શકે છે.

વધુ વાંચો: ભારતના આ ગામમાં જ અવતાર લેશે ભગવાન કલ્કિ: આજે PM મોદીએ મંદિરનું કર્યું શિલાન્યાસ, જાણો શું છે માન્યતા

સ્વચ્છતા રાખવી
આ જગ્યાઓ હંમેશા સ્વચ્છ રાખવી. આ સ્થાનો પર ક્યારેય પણ કબાડ ભેગો થવા ન દેવો અને સમયાંતરે તેને સાફ કરતાં રહેવું. આ સ્થાનો ગંદા હોવાની અસર તમારી કારકીર્દિ પર થઈ શકે છે. અને પરિવાર આર્થિક તંગીનો સામનો કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ