બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 06:49 PM, 3 February 2024
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ ઝારખંડમાં પ્રવેશ કર્યો છે. રાહુલ ગાંધી શનિવારે દેવઘર પહોંચ્યા હતા અને બાબા વૈદ્યનાથ ધામમાં પૂજા કરીને રુદ્રાભિષેક કર્યો હતો. મંદિર પરિસરમાંથી નીકળતા સમયે કેટલાક લોકોએ રાહુલ ગાંધી સામે જય શ્રીરામના અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા, જેના કારણે હંગામો થઈ ગયો હતો.
मुस्लिम तुष्टिकरण की राजनीति के खिलाफ मेरा गोड्डा लोकसभा केवल प्रधानमंत्री मय यानि मोदी मय है। यहाँ भक्त मोदी जी का सम्मान है,आपकी तरह राहुल गांधी जी वोट भक्त का बहिष्कार है अपमान नहीं pic.twitter.com/UBd75Va91i
— Dr Nishikant Dubey (@nishikant_dubey) February 3, 2024
રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ યાત્રાએ નીકળ્યા હતા અને 21માં દિવસે ઝારખંડ પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના રસ્તેથી ઝારખંડમાં આવ્યા પછી ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. 8 દિવસમાં આ યાત્રા ઝારખંડમાં 13 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધીએ દેવઘરમાં બાબા બાબા વૈદ્યનાથ ધામમાં પૂજા કરીને રુદ્રાભિષેક કર્યો હતો. રાહુલ ગાંધી ગુલાબી રંગની ધોતી અને માથા પર ત્રિપુંડ સાથે શિવભક્તિમાં લીન જોવા મળ્યા હતા. કોંગ્રેસ પક્ષના અધિકૃત X હેન્ડલ પરથી આ ફોટોઝ શેર કરવામાં આવ્યા છે.
મંદિર પરિસરમાંથી નીકળતા સમયે કેટલાક લોકોએ રાહુલ ગાંધી સામે જય શ્રીરામ અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હસીને આગળ નીકળી ગયા હતા. ભાજપ નેતાઓએ આ હંગામાનો વિડીયો શેર કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોંગ્રેસની મુસ્લિમ પરત નીતિઓને કારણે રાહુલ ગાંધીની યાત્રાનો વિરોધ થયો. પ્રધાનમંત્રીને વિકાસનું સમર્થન છે.’
રાહુલ ગાંધીની યાત્રા બાબતે મંદિરોમાં ફૂલોથી સજાવટ કરવામાં આવતા ભાજપ સાંસદે સવાલ ઊભા કર્યા છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઝારખંડ સરકારે મંદિરની સજાવટ નહોતી કરી. ’22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં મંદિરની સજાવટ કરવામાં આવી, પરંતુ બાબા વૈદ્યનાથની સજાવટ કરવામાં ના આવી. આ છે કોંગ્રેસ અને ઝારખંડ સરકાર.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો