એક તરફ ભારત જ્યારે મંદીનો સામનો કરી રહ્યું છે તો બીજી તરફ ઓગસ્ટ મહિનામાં ભારતના આયાત-નિકાસ બન્નેમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં આયાતમાં જ્યાં 13.45 ટકાનો ઘટાડો નોંધોય છે ત્યારે નિકાસમાં 6.05 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ભારતના વેપાર નુકસાન ઓગસ્ટમાં 13.45 અરબ ડૉલર આંકવામાં આવ્યો છે.
ઓગસ્ટ મહિનામાં આયાત-નિકાસમાં ઘટાડો
ભારતનો જીડીપી ગ્રોથ રેટ આશા કરતા ઘણો ઓછો : IMF
આયાતમાં 13.45 ટકાનો ઘટાડો નોંધાયો
આ સિવાય રત્ન અને ઘરેણાંની નિકાસ ઓગસ્ટ મહિનામાં 12.29 ટકા ઘટીને 20,242.20 કરોડ રૂપિયા રહી ગઇ. જેના માટે માર્કેટમાં રોકડની મૂશ્કેલી હોવી ઘરેણાં બનાવવામાં આવેલ ખોટ માટેનું કારણ બતાવાય રહ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ કેટલાક આંકડાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો, ઑટો સહિત કેટલીક કંપનીઓમાં વેચાણમાં ઘટાડો, શેર બજાર નબળું અને કેટલીક કંપનીઓમાં કર્મચારીઓને છૂટા કરવા મુખ્ય છે.
આ સિવાય ભારતમાં આર્થિક વિકાસની ઝાંખી તસવીર પર ચિંતા વ્યક્ત કરનારાઓમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund) પણ સામેલ થઇ ગયું છે. આઇએમએફએ કહ્યું કે ભારતનો જીડીપી ગ્રોથ રેટ આશા કરતા ઘણો ઓછો છે.
આઇએમએફએ ગુરૂવારે કહ્યું કે કોર્પોરેટ અને પ્રર્યાવરણ સાથે જોડાયેલ નિયામક સંસ્થાઓની અનિશ્વિતતા અને કેટલાક નોન બેંકિંગ નાણાકીય કંપનીઓની નબળાઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ આશા કરતા ઘણી નબળી છે.