બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / In the midst of Hamas-Israel war, PM Modi appealed to the world about terrorism, saying that it is sad that
Megha
Last Updated: 04:07 PM, 13 October 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં નવનિર્મિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત P20 સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ G20 સભ્ય દેશોના અધ્યક્ષોને પણ સંબોધિત કરતાં સમયે ઈઝરાયેલ પર હમાસના હુમલાનો સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે 'દુનિયાને હવે અહેસાસ થવા લાગ્યો છે કે કોઈપણ હિસ્સામાં કોઈપણ આતંકવાદી ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. '
Conflicts and confrontations being faced by world today do not benefit anyone: PM Modi
— Press Trust of India (@PTI_News) October 13, 2023
આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર
P20 સમિટમાં આતંકવાદ પર જોરદાર હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. યુદ્ધ કોઈને લાભ આપી શકતું નથી. વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે. આ સમય દરેકના કલ્યાણનો છે. આતંકવાદ માનવતા માટે ખતરો છે. આતંકવાદ સામે કડકાઈથી સામનો કરવો પડશે. તે ખૂબ જ દુઃખદ છે કે આપણે આતંકવાદની વ્યાખ્યા પર સહમત નથી થઈ શકતા. આતંકવાદ વિશ્વ માટે એક મોટો પડકાર છે.
#WATCH | At the 9th P20 summit in Delhi, PM Modi says, "A world full of conflicts and confrontation cannot benefit anyone. A divided world cannot give solutions to the challenges before us. This is a time for peace and brotherhood, a time to move together, a time to move forward… pic.twitter.com/XisUaVClYB
— ANI (@ANI) October 13, 2023
આતંકવાદ સમગ્ર માનવતા માટે ખતરો છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હવે દુનિયા માનવા લાગી છે કે કોઈપણ ભાગમાં આતંકવાદી હુમલો સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેની ઉત્પત્તિ અને પદ્ધતિ ગમે તે હોય, આતંકવાદ સમગ્ર માનવતા માટે ખતરો છે. આપણે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવું પડશે. પીએમ મોદીએ કહ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આતંકવાદની વ્યાખ્યા નક્કી કરવામાં આવી નથી. આજે પણ આતંકવાદ સામે લડવાની આપણી વ્યાખ્યા નક્કી નથી. સંયુક્ત રાષ્ટ્ર પણ આ અંગે એકમત નથી. જેઓ આતંકવાદને મદદ કરી રહ્યા છે તેઓને તેનો ફાયદો થાય છે.
આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે
PM મોદીએ કહ્યું, “વિવાદો અને સંઘર્ષોથી ભરેલી દુનિયા કોઈને પણ લાભ આપી શકે નહીં. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે, સાથે મળીને આગળ વધવાનો સમય છે. આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે.”
#WATCH | PM Narendra Modi addresses the ninth P20 Summit in Delhi, says, "This summit is the 'mahakumbh' of parliamentary practices of the world." pic.twitter.com/KreRyPnXRv
— ANI (@ANI) October 13, 2023
વિશ્વને એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની ભાવનાથી જોવું પડશે
'આતંકવાદ માનવતા વિરુદ્ધ છે. વિશ્વની સામે આ સૌથી મોટો પડકાર છે અને તેનો કડકાઈથી સામનો કરવો પડશે. આપણે વૈશ્વિક વિશ્વાસની કટોકટીને દૂર કરવી પડશે અને માનવ-કેન્દ્રિત વિચારસરણી પર આગળ વધવું પડશે. આપણે વિશ્વને એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની ભાવનાથી જોવું પડશે! વિશ્વ માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણે જેટલી વધુ સહભાગી થઈશું, તેટલી વધુ અસર આપણે સમગ્ર વિશ્વમાં કરીશું!’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime