બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Dinesh
Last Updated: 09:45 PM, 13 September 2023
અમદાવાદમાં લગ્નના ટૂંકાગાળામાં જ આપઘાત કરી લેવાના કિસ્સાઓ વધી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 માસના લગ્ન જીવનમાં એક યુવકે પત્ની અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે અંતિમ વીડિયો બનાવી પોતાની આપવીતી કહી રિવરફ્રન્ટ પર ઝંપલાવીને જીવન ટુંકાવ્યું છે.
લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો
અમદાવાદ શહેરના ખાનપુરમાં રહેતો યુવક ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પોતાની પત્ની ફરહીનબાનું પોતાના પિયરમાં જ રહેવા માટે જતી રહી હતી. ત્યારે મૃતક ગુફરાને તેની પત્ની ફરહીન અને માતા ઇસરતજહાનીએ પરેશાન કરી માનિસક ત્રાસ આપી મરવા મજબૂર કર્યો હતો.
એક્ટિવાની ચાવી અને મોબાઈલ મળી આવ્યો હતો
જેને કારણે મૃતક ગુફરાન પત્ની અને સાસુનું ત્રાસ સહન ન કરતા 7 સપ્ટેમ્બરના રોજ ગુફરાન રિવરફ્રન્ટ પર નદીમાં કૂદી જીવન ટુંકાવ્યું હતું. રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજના વોકવે પર ગુફરાનનો મોબાઇલ અને એક્ટિવાની ચાવી મળી આવી હતી. જેના આધારે નદીમાં તપાસ કરતા ગુફરાનની લાશ મળી આવી હતી. જે ગુફરાનનો મોબાઇલ જોતા એક અંતિમ વીડિયો સામે આવ્યો હતો. જેના આધારે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ