બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
vtvAdmin
Last Updated: 02:47 PM, 25 April 2019
સીબીઆઇસીએ આ અંગે ૨૧ જૂન, ૨૦૧૯ની ડેટ નિર્ધારિત કરી છે. તેમાં જણાવાયું છે કે આ સમયગાળામાં જો કંપનીઓ અને વેપારીઓ રિટર્ન નહીં ભરે તો માલ મોકલનાર, માલ પ્રાપ્ત કરનાર, ઇ-કોમર્સ ટ્રાન્સપોર્ટર અને કુરિયર એજન્સી પર ઇલેક્ટ્રોનિક વે એટલે કે ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં અને તેમના પર બિલ જનરેટ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. જીએસટી સિસ્ટમ હેઠળ કંપનીઓને આગામી મહિનાની ૨૦ તારીખ સુધીમાં ગયા મહિનાના રિટર્ન ભરવાના હોય છે. જ્યારે કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનાર ક્વાર્ટરના અંત બાદ આગલા મહિનાની ૧૮ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.
જીએસટી નેટવર્ક દ્વારા એવી આઇટી સિસ્ટમ સ્થાપિત કરાઇ છે, જેમાં નિર્ધારિત સમયમાં રિટર્ન નહીં ભરનાર કંપનીઓના ઇ-વે બિલ જનરેટ કરવા પર રોક લાગી જશે. અધિકારીઓનું માનવું છે કે આ પગલાથી જીએસટી ચોરી રોકવામાં મદદ મળશે. ગયા વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં જીએસટી ચોરી કે ઉલ્લંઘનના ૩,૬૨૬ કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં રૂ.૧૫,૨૭૮ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હતી. જોકે વેપારી સંઘોએ આ આદેશનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ આદેશના કારણે નાના વેપારીને ભારે મુશ્કેલી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ