બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Assembly election 2023 / ભારત / how vasundhara raje gets hope with two opponents lost in rajasthan elections
Hiralal
Last Updated: 04:48 PM, 4 December 2023
ભાજપની ભવ્ય જીત બાદ રાજસ્થાનના સીએમ તરીકે વસુંધરા રાજે આવી શકે છે કારણ કે તેમના 30થી વધુ સમર્થક ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં છે અને તેથી તેમની દાવેદારી પ્રબળ બની શકે છે. સમર્થક ધારાસભ્યોએ રાજે માટે સીએમનું પદ માગ્યું છે. ભાજપ હાઈ કમાન્ડ માટે રાજેને સીએમ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે ન કરે તો બળવાની સંભાવના નકારી ન શકાય.
વસુંધરા રાજેને સીએમ બનવું જોઈએ-ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહ
ચૂંટણી પરિણામો બાદ આજે વસુંધરા રાજેના નિવાસસ્થાને તેમના સમર્થક ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં 20થી વધુ ધારાસભ્યો હાજર રહ્યાં હતા. ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહ કોલીએ જયપુરમાં વસુંધરા રાજેના નિવાસસ્થાનની અંદર જઈને કહ્યું કે વસુંધરા રાજેને સીએમ બનવું જોઈએ. પરંતુ તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના નિર્ણયની સાથે છે.
સીએમ પદના બીજા દાવેદાર બાલકનાથના દિલ્હી ધામા
સીએમ પદના બીજા દાવેદાર મનાતા બાલકનાથ દિલ્હી આવી ગયા છે. બાલકનાથને રાજસ્થાનના યોગી ગણવામાં આવે છે અને તેઓ પણ સીએમ પદના પ્રબળ દાવેદાર છે. રાજસ્થાનમાં રાજે અથવા બાલકનાથ બેમાંથી કોઈ એક સીએમ બની શકે છે જોકે હાઈ કમાન્ડ છેલ્લી ઘડીએ ચોંકાવી પણ શકે છે.
પ્રહલાદ જોશી અમિત શાહને મળ્યાં
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ભાજપના પ્રભારી પ્રહલાદ જોશી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા.
હવે શું થશે
આજે મોડી સાંજે કે આવતીકાલે ભાજપ રાજસ્થાનમાં નિરિક્ષકો મોકલશે અને ધારાસભ્ય પક્ષની બેઠકની તારીખ નક્કી કરવામાં આવશે જેમાં ધારાસભ્ય દળના નેતાની વરણી થશે અને પછી તેમનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો