બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / How many crores did the accused make in one and a half years by setting up a bogus toll booth in Wankaner? The figure came out, the formation of the committee

ખુલાસો / વાંકાનેરમાં બોગસ ટોલનાકું ઊભું કરી આરોપીઓએ દોઢ વર્ષમાં કેટલા કરોડની કટકી કરી? બહાર આવ્યો આંકડો, કમિટીનું ગઠન

Vishal Khamar

Last Updated: 07:28 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીનાં વાંકાનેર વઘાસિયા ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે મોટો ખુલાસો થયો છે. દોઢ વર્ષથી ચાલતા બોગસ ટોલનાકાના માલિકને પાચ કરોડથી પણ વધની આવક થવા પામી હતી. ત્યારે કરોડોની ઉઘરાણી છતાં વહીવટી તંત્રએ આ સમગ્ર બાબતે મૌન ધારણ કર્યું છે.

  • વાંકાનેરના વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદ્દે મોટો ખુલાસો
  • દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાના માલિકને 5 કરોડની થઈ આવક
  • કરોડોની ઉઘરાણી છતા વહીવટી તંત્રએ ધારણ કર્યુ મૌન

 મોરબીનાં વાંકાનેરનાં વઘાસિયાનાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે અનેક ખુલાસા થવા પામ્યા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હતી. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કડોરની આવક થવા પામી હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનો અવર જવર કરતા હતા.ફોર વ્હીલનાં 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલાતા હતા. જયરામ પટેલનાં દીકરા અમરશી પટેલ અને અન્ય લોકો ટોલ ઉઘરાવતા હતા. કરોડોની ઉઘરાણી છતાં વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે. 

Sidsar Umiyadham president Jairam Patel's statement on Morbi's illegal toll road issue

 સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન
મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે. 

ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો: જયરામ પટેલ
મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જયરામ પટેલએ કહ્યું કે, અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી. ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે. પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું. તેમણે કહ્યું કે,  ભાડા કરારમાં ઉઘરાણી અંગેનો કોઈ ઉલ્લેખ નથી તેમજ અમે ફેક્ટરીનો 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 10 મહિનામાં નોટિસ આપીને ભાડા કરાર રદ કરવા નોટિસ આપી હતી તેમજ અમરશી ભાઈની વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી.  ફેક્ટરી માલિક અમરશી પટેલના પિતા છે.

તપાસનો ધમઘમાટ
ગેરકાયદે ટોલનાકાની તપાસમાં રાજકોટ, મોરબીના સંબંધિત વિભાગોની કચેરીઓ પાસેથી વિગતો મેળવાશે તેમજ નકલી ટોલનાકા માટે કોઇ સાથે ભાડા કરાર કરેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સરકારી અધિકારીઓની મિલિભગત છે કે કેમ તે તેમજ રાજકારણીઓ સહિત પોલીસની સંડોવણીની સંભાવનાને લઇ તપાસ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ