બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / How many crores did the accused make in one and a half years by setting up a bogus toll booth in Wankaner? The figure came out, the formation of the committee
Vishal Khamar
Last Updated: 07:28 PM, 5 December 2023
મોરબીનાં વાંકાનેરનાં વઘાસિયાનાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે અનેક ખુલાસા થવા પામ્યા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હતી. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કડોરની આવક થવા પામી હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનો અવર જવર કરતા હતા.ફોર વ્હીલનાં 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલાતા હતા. જયરામ પટેલનાં દીકરા અમરશી પટેલ અને અન્ય લોકો ટોલ ઉઘરાવતા હતા. કરોડોની ઉઘરાણી છતાં વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે.
સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન
મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો: જયરામ પટેલ
મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જયરામ પટેલએ કહ્યું કે, અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી. ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે. પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું. તેમણે કહ્યું કે, ભાડા કરારમાં ઉઘરાણી અંગેનો કોઈ ઉલ્લેખ નથી તેમજ અમે ફેક્ટરીનો 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 10 મહિનામાં નોટિસ આપીને ભાડા કરાર રદ કરવા નોટિસ આપી હતી તેમજ અમરશી ભાઈની વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી. ફેક્ટરી માલિક અમરશી પટેલના પિતા છે.
તપાસનો ધમઘમાટ
ગેરકાયદે ટોલનાકાની તપાસમાં રાજકોટ, મોરબીના સંબંધિત વિભાગોની કચેરીઓ પાસેથી વિગતો મેળવાશે તેમજ નકલી ટોલનાકા માટે કોઇ સાથે ભાડા કરાર કરેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સરકારી અધિકારીઓની મિલિભગત છે કે કેમ તે તેમજ રાજકારણીઓ સહિત પોલીસની સંડોવણીની સંભાવનાને લઇ તપાસ કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime