બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / How did corona affect his heart? What to do to prevent heart attack? Take this expert's advice to heart
Vishal Khamar
Last Updated: 09:39 PM, 30 October 2023
એક તરફ જ્યાં એ ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં આખરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ વધી કેમ રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ સૂચક ઈશારો કર્યો. મનસુખ માંડવિયાએ કોવિડ પછી આટલા વખતે એ સ્વીકાર જરૂર કર્યો છે કે કોરોનાને કારણે હૃદય ઉપર ખરાબ અસર થઈ છે. આરોગ્યમંત્રીએ શબ્દ ચોર્યા વગર ICMRના અભ્યાસને ટાંકતા કહ્યું કે જેમને સિવિયર કોવિડ થયો છે તેઓ ચોક્કસ સમયગાળા માટે સખત પરિશ્રમ કરવાથી કે સતત દોડધામ કરવાથી દૂર રહે તો હૃદયની જાળવણી થઈ શકશે. એક સામાન્ય વ્યક્તિને પાયાનો પ્રશ્ન એ જ થાય કે કોરોનાથી આખરે હૃદયને થયું છે શું?
એવા પણ કિસ્સા બન્યા કે હોસ્પિટલમાં કે ઘરે આવનાર દર્દીએ કોરોનાને મ્હાત આપી હોય પરંતુ થોડા જ સમયમાં હાર્ટ ફેઈલ થવાથી તેનું મૃત્યુ થયું હોય. ICMRએ જે વિસ્તૃત અભ્યાસ કર્યો તેમાં કોરોના હૃદયને કઈ રીતે અસર કરે છે. જેને કોરોના થયો છે અથવા તો જેને સિવિયર કોરોના થયો છે તેના માટે હવે જાતને વધુ સાચવવાનો સમય આવી ગયો છે કે કેમ. અને જો આ સમય આવી જ ગયો છે તો જેને અગાઉ પણ કોઈ બીમારી છે તેના માટે આરોગ્યની સાચવણી કેટલી જરૂરી છે.
કેન્દ્રિય આરોગ્યમંત્રીએ શું કહ્યું હતું?
ગત રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સાચવવું. તેમજ સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સખત પરશ્રમથી દૂર રહે. ICMRનો વિસ્તૃત સરવે સામે આવ્યો હતો. ICMRનો સરવે કોવિડ અને ત્યારબાદ હૃદયને લગતી તકલીફ અંગે હતો. સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોએ દોડધામ, પરિશ્રમ ન કરવો. તેમજ સિવિયર કોવિડ થયા બાદ ચોક્કસ સમય માટે સખત મહેનતથી દૂર રહેવું. સખત પરિશ્રમથી દૂર રહેવાનો સમયગાળો એક થી બે વર્ષનો હોય શકે છે. સિવિયર કોવિડ થયો હોય તેવા લોકો સખત મહેનતથી દૂર રહેશે તો વાંધો આવશે નહીં.
કોરોનાથી હૃદયને શું અસર પડી શકે?
હૃદયને કામ કરવા ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનયુક્ત લોહીને શરીરના અન્ય અંગોમાં હૃદય પહોંચાડે છે. આ ઓક્સિજન હૃદયને ફેફસામાંથી મળે છે. કોરોનાનું સંક્રમણ સીધું ફેફસા ઉપર અસર કરે છે ઓક્સિજનની ઘટથી હૃદય ઉપર અસર પડી શકે છે. ઓક્સિજનની ઘટથી હૃદયના સ્નાયુઓને લોહી પંપ કરવા વધુ મહેનત કરવી પડે છે. લોહીના પંપિંગ માટે વધુ મહેનતની અસર હૃદયના ટિશ્યૂ ઉપર પડી શકે છે. જો સોજો થઈ જાય તો હૃદયના સ્નાયુઓ ઉપર અસર પડી શકે છે. હાર્ટ બીટ વધી શકે જેથી હૃદયની પંપિંગથી શક્તિ ઘટે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime