બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / ગુજરાત / અમદાવાદ / hospitals in Ahmedabad are carrying out scams by taking insurance policies without the knowledge of the patients
Shyam
Last Updated: 06:50 PM, 28 May 2021
કોરોના મહામારીમાં આવ્યું ઈન્સ્યોરન્સનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. મેડિકલ માફીયાઓ દર્દીઓની સારવાર કરી હોવાના નામે કૌભાંડ કરે છે. ખોડીયારનગરમાં આવેલી ક્રિશા હોસ્પિટલ અને વટવાની સ્પર્શ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પર કૌભાંડના આરોપ લગાવવામાં આવ્યો છે. એક રીટાયર્ડ ડૉક્ટર અરવિંદ શાહના નામે બોગસ વીમા મૂકી કૌભાંડ કર્યાની ફરિયાદ થઇ છે. સ્પર્શ હોસ્પિટલ અને ક્રિશા હોસ્પિટલ દ્વારા જાતે જ દર્દીની હેલ્થ પોલિસી લેવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખોટી પોલિસી લઈ રિટાયર્ડ ડૉ.અરવિંદ શાહના નામનો દૂર ઉપયોગ કરી બોગસ વીમા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિટાયર્ડ ડૉ.અરવિંદ શાહને સમગ્ર ઘટનાની જાણ થતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. બંને હોસ્પિટલો સામે વટવા અને નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. રિટાયર્ડ ડૉ.અરવિંદ શાહે બંને હોસ્પિટલ સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે. ખોડીયારનગરની ક્રિશા હોસ્પિટલે ઈલાબેન પ્રજાપતિના દર્દીનું ઈન્સ્યોરન્સ પાસ કરાવવા ફાઈલ મુકી હતી. તેમજ સ્પર્શ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલે પારુબેન પરમારની ફાઇલ મુકી હતી.
હોસ્પિટલ દ્વારા કરાયો પોતાનો બચાવ
તો આ તરફ વટવાની સ્પર્શ હોસ્પિટલ અને ક્રિશા હોસ્પિટલના માલિકોનું નિવેદન કર્યુ હતું કે હોસ્પિટલમાં વીમો પકવવા માટે કંઈ ખોટું ન થયાનો દાવો કર્યો છે. ડો. નિમેષ પ્રજાપતિએ અને ડો.કિરણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે ડો.અરવિંદ શાહે જ દર્દીને ટ્રીટ કરી છે. ડો.અરવિંદ શાહે શા માટે અમારા વિરુદ્ધ એફિડેવિટ કરી એ ખબર નથી. અગાઉ વીમા કંપની બંને હોસ્પિટલ સામે પોલીસમાં અરજી કરી ચૂકી છે. ડો.અરવિંદે પણ પોતાના નામે હોસ્પિટલોએ કૌભાંડ આચર્યાનો દાવો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો