આજે સાંજે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા છે જેથી આ બેઠકમાં નિયંત્રણોમાં વધું છૂટછાટ મળે તેવી શક્યતા છે
કોરોના પ્રતિબંધોને લઈ આજે હાઈ લેવલ મીટિંગ
કેસ ઘટતા નિયંત્રણોમાં છૂટછાટ મળે તેવી શક્યતા
હાલ ગુજરાતમાં રોજના 8 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે
ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થઈ થઈ રહ્યા છે. ત્યારે આજે સાંજે રાજ્ય સરકાર દ્વારા એક કોર કમિટીની બેઠક રાખવામાં આવી છે. જે બેઠકમાં દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. આ કોર કમિટીની બેઠકમાં કોરોનાના નિયંત્રણોને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. કારણકે ખાસ આજ મુદ્દાને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે SOPનો છેલ્લો દિવસ
કોરોનાની નવી SOPનો આજે છેલ્લો દિવસ છે. જેથી આ બેઠકમાં હવે નવા નિયંત્રણોને લઈને ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં હાલ જે પણ નિયંત્રણો લગાવામાં આવ્યા છે. તેમા વધું છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નિયંત્રણોમાં છૂટછાટ મળે તેવી શક્યતા
જોકે રાજ્યમાં હાલ રોજના 8 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવામાં આવશે. કોરોનાના કેસ ઘટ્યા જરૂરથી પરંતુ સાવધાની રાખવી તેટલીજ જરૂરી છે. કારણકે બેદરકારી ફરીથી ભારે પડી શકે છે. જોકે કેસ ઘટવાને કારમે સરકાર દ્વારા આજે જે પણ નવી SOP જાહેર કરવામાં આવશે તેમા પ્રતિબંધો પર વધું છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.