બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Hearing today on Tathya Patel's bail application, the village court will give a decision

ઈસ્કોન બ્રિજ અકસ્માત / તથ્ય પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, ગ્રામ્ય કોર્ટ આપશે ફેંસલો

Malay

Last Updated: 10:28 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Tathya Patel Case: અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો, અગાઉની સુનાવણીમાં કોર્ટમાં ત્રણેય પક્ષની દલીલ થઈ હતી પૂર્ણ.

  • તથ્ય પટેલની જામીન અરજી પર આજે ચુકાદો
  • ગ્રામ્ય કોર્ટ જામીન અરજી પર આપશે ચુકાદો
  • તથ્ય વિરુદ્ધ 1684 પાનાની ચાર્જશીટ કરી છે રજૂ

Tathya Patel Case: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે ચુકાદો આપશે. આરોપી તથ્ય પટેલને જેલમાંથી મુક્ત કરવાને લઈને કાર્ટ આજે નિર્ણય લેશે. મહત્વનું છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ત્રણેય પક્ષોની દલીલ પૂર્ણ થતાં ન્યાયધીશ ડી.એમ વ્યાસે ચુકાદો 24મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો. 

તથ્ય પટેલનું ટેન્શન હાઈ.! ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા ગ્રામ્ય કોર્ટે આપી  મંજૂરી, નબીરો આ પોલીસના સંકજામાં, જાણો કેસ | Village court allowed to  arrest Tathya ...

કારની સ્પીડ માટે કોઈ ટેક્નિકલ અભિપ્રાય લેવાયો નથીઃ વકીલ
ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. 

FSL સર્ટિફિકેટ નથીઃ નિસાર વૈદ્ય
તથ્યના વકીલ નિસાર વૈદ્યએ કહ્યું હતું કે પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો મળે છે. ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. 

પોલીસ હાજર હતી પણ બેરિકેડિંગ કર્યું નહીં: તથ્યના વકીલ
આ સાથે જ તથ્ય પટેલના વકીલે પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું ગતું કે,  અગાઉ થાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. પોલીસ હાજર હતી, પરંતુ પોલીસે બેરિકેડિંગ કર્યું નહતું. આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ છે. નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું હતું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું  કે, પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે. આખી ઘટના પાછળ તથ્યનો કોઈ જ ઈરાદો ન હતો, આકસ્મિત ઘટના બની છે, ત્યારે જામીન આપવા જોઈએ. 

GSTV on Twitter: "Ahmedabad : ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત મુદ્દે  આરોપી તથ્ય પટેલના વકીલ Nisar Vaidya નું નિવેદન #GSTV #GSTVNEWS  #gujaratsamachar #GujaratiNews #ahmedabad ...
વકીલ નિસાર વૈદ્ય

સરકારી વકીલે કહ્યું હતું કે, અમારી પાસે પુરાવા છે
જ્યારે સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, અકસ્માત સમયે 141.27ની સ્પીડે કાર હોવાનો પુરાવો છે, સાથે જ જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે તેણે બ્રેક મારવાનો કોઈ જ પ્રયાસ કર્યો નથી. તેથી આરોપીને જામીન આપવા જોઇએ નહીં. આ મામલે બંને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો 24મી ઓગષ્ટ પર મુલત્વી રાખ્યો હતો

ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લીધા
બુધવારે (10 ઓગસ્ટ) રાત્રે શહેરના ઈસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હવાથી વાતો કરવાનો તથ્યને હતો જૂનો શોખ: એક મહિનામાં 25 વખત તો સ્પીડ લિમિટ  તોડી, 5 વખત રેડ લાઇટ; છતાં નહોતું અપાયું ચલાન I <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/tathya-patel' title='Tathya Patel'>Tathya Patel</a> broken the law  of over speeding

તથ્ય પટેલ હાલ સાબરમતી જેલમાં બંધ
જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે બાદ આરોપી તથ્યના રિમાન્ડ માંગ તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. હાલ  તથ્ય પટેલ જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે તેની વિરુદ્ધ 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ