બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips Diabetic patients should pay attention to these things during Navratri fasting

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિના વ્રત દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન, બેદરકારીથી સ્વાસ્થ્યને થશે નુકસાન

Megha

Last Updated: 01:18 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ડાયાબિટીસના દર્દી છો અને નવરાત્રિના ઉપવાસ રાખવા માંગતા હો, તો તમારી શ્રદ્ધાની સાથે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે નવરાત્રિના ઉપવાસને લગતી આ બાબતોનું પાલન કરો.

ચૈત્ર નવરાત્રીની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે. નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન, દેવી દુર્ગાના ભક્તો તેમના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે. નવરાત્રિ દરમિયાન રાખવામાં આવતા ઉપવાસ માત્ર શ્રદ્ધા સાથે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અનેક ફાયદાઓ પણ લાવે છે. 

Diabetes ને લઈને ચોંકવાનારો ખુલાસો: શુગર જ નહીં મીઠું ખાવાથી પણ વધી શકે છે  ખતરો | Shocking explanation about Diabetes: Not only sugar but also eating  salt can increase the risk

જણાવી દઈએ કે, ઉપવાસ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. જેના કારણે શરીર સંપૂર્ણપણે ડિટોક્સ થઈ જાય છે. પણ જો તમે ડાયાબિટીસના દર્દી છો અને નવરાત્રિનું વ્રત રાખવા માંગો છો તો તમારી આસ્થાની સાથે સ્વાસ્થ્ય સારું રાખવા માટે નવરાત્રિ વ્રત સાથે જોડાયેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. 

ડૉક્ટરની સલાહ-
ઈન્સ્યુલિનનો વધુ ડોઝ લેતા ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના નવરાત્રીના ઉપવાસ ન કરવા જોઈએ. આમ કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી ઘટી શકે છે. જેના કારણે દર્દીને કિડની, લીવર, હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગનો ખતરો રહે છે. 

હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ 
ડાયાબિટીસના દર્દીઓને ઉપવાસ દરમિયાન ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, ડિહાઇડ્રેશનથી બચવા માટે, ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિના ઉપવાસ દરમિયાન તેમના આહારમાં છાશ, લીંબુ પાણી અને નારિયેળ પાણીનો સમાવેશ કરી શકે છે. આમ કરવાથી બ્લડ સુગરને કંટ્રોલ બહાર જવાથી બચાવી શકાય છે. 

Topic | VTV Gujarati

પ્રોબાયોટિક્સ-
નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારા લોકો માટે દહીં શ્રેષ્ઠ ખોરાક છે. ઉપવાસ તોડ્યા પછી તમારે એક કપ દહીંનું સેવન કરવું જોઈએ. આ પેટને શાંત કરવામાં મદદ કરી શકે છે, એસિડિટી અને ગેસથી બચી શકે છે. આ સિવાય છાશ, દહીં, પનીર જેવા લો ફેટ ડેરી પ્રોટીનને તમારા આહારમાં સામેલ કરો, જેથી તમામ પ્રકારની ખાંડની લાલસા ઓછી થઈ શકે અને તમારું એનર્જી લેવલ દિવસભર સારું રહે.

સુગર ફ્રી ડ્રિંક-
સુગરના દર્દીઓએ હંમેશા સુગર ફ્રી ડ્રિંકથી ઉપવાસ તોડવો જોઈએ. મીઠાં પીણાં તમારી બ્લડ સુગરને વધુ વધારી શકે છે. ચરબી, સોડિયમ અને કાર્બોહાઈડ્રેટ વધુ હોય તેવા ખોરાકથી દૂર રહો.

વધુ વાંચો:  નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ આ ભૂલો ન કરવી જોઈએ
- લાંબો સમય ભૂખ્યા ન રહેવું
- વધુ પડતી ચા પીવાનું ટાળો
- સમયસર દવાઓ લો
- તળેલું ખાવાનું ટાળો
- ઉપવાસ પહેલાના ભોજનનું ધ્યાન રાખો 
- ડૉક્ટરની સલાહ લો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ