બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health tips blur vision causes symptoms precautions treatment

Eye Care Tips / ધૂંધળું દેખાઇ રહ્યું છે? તો સાવધાન, માત્ર આંખ જ નહીં, આ બીમારીઓનું પણ હોઇ શકે છે જોખમ

Bijal Vyas

Last Updated: 04:28 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંખોમાં ધૂંધળાપણુના એક નહીં પણ અનેક કારણો હોઈ શકે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો પણ સાવચેત રહેવાની સૂચના આપે છે. આંખની કોઈપણ સમસ્યાને હળવાશથી લેવાનું ટાળો.

  • યુવાનોમાં સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમના કારણે આ સમસ્યાઓ જોવા મળે છે
  • શુગર લેવલને કાબૂમાં ન રાખવાને કારણે આંખોની સમસ્યા થાય છે
  • માઇગ્રેનના કારણે પણ ધૂંધળાપણાની સમસ્યા થઇ શકે છે  

Blur Vision : ખરાબ લાઇફસ્ટાઇલની નકારાત્મક અસર આંખો પર પણ ઝડપથી વધી રહી છે. જેના કારણે આંખોને લગતી અનેક બીમારીઓ થઈ રહી છે. આજકાલ નાની ઉંમરમાં જ ધૂંધળા દેખાવાની સમસ્યા જોવા મળી રહી છે. નિષ્ણાંતોના મતે, કોઈ વસ્તુને યોગ્ય રીતે ન જોઈ શકવાને કારણે આંખોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવી સામાન્ય વાત છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે આંખની સમસ્યાને કારણે આવી સમસ્યાઓ થાય. કેટલીક પરિસ્થિતિઓમાં, એવું પણ જાણવા મળ્યું છે કે ઘણી ગંભીર બીમારીઓ પણ આંખોને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ધૂંધળુ-ધૂંધળુ દેખાવા લાગે તો થઇ જાઓ સાવધાન
આંખોની બીમારીઓના કારણે, પ્રકાશ યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, જેના કારણે ધૂંધળુ-ધૂંધળુ દેખાવા લાગે છે. આજકાલ યુવાનોમાં બ્ના કારણે આ સમસ્યાઓ જોવા મળે છે. જો કે આ સમસ્યા ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે આંખની સારવાર કરવા છતાં તે ઠીક થતી નથી. આવી સ્થિતિમાં, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તે ઘણા ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે.

Topic | VTV Gujarati

આ ગંભીર બીમારીઓના કારણે ધૂંધળુ દેખાય છે 
1. વધારે સ્ક્રીન ટાઇમ 

જો તમે લાંબા સમય સુધી સ્ક્રીનની સામે બેસો છો, તો ધ્યાન તેના પર એવી રીતે કેન્દ્રિત કરવામાં આવે છે કે પાંપણ ઓછી ઝબકશે. પાંપણ ઓછા ઝબકવાના કારણે, આંખની સપાટીને લુબ્રિકેટ કરીને ફ્રેશ રાખતા આંસુ ઘટવા માંડે છે, જેના કારણે ધૂંધળુ દેખાવાનું શરૂ થાય છે. તેથી જ તેનાથી બચવું જોઈએ.

2. શુગર લેવલ 
શુગર લેવલને કાબૂમાં ન રાખવાને કારણે આંખોની સમસ્યા થાય છે, ધૂંધળુ દેખાવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે ગ્લુકોઝનું લેવલ સામાન્ય થઈ જાય છે ત્યારે આ સમસ્યા ઓછી થવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓને રેટિનોપેથી, આંખના પાછળના ભાગમાં અને આંખોને લગતી અન્ય સમસ્યાઓ થવાની સંભાવના વધુ હોય છે. તેથી જ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું જોઈએ.

3. બ્લડ પ્રેશર 
હાઈ અથવા લો બ્લડપ્રેશરને કારણે નબળાઈ અને ચક્કર આવવાની સમસ્યા થાય છે. તેનાથી આંખોને પણ અસર થાય છે. જો બ્લડ પ્રેશર ઓછું કે વધારે હોય તો યોગ્ય સમયે દવાઓ લેવી. હ્રદયની સમસ્યાને કારણે પણ ધૂંધળુ દેખાવા લાગે છે.

ડાયાબિટીસના દર્દીઓ માથાના દુઃખાવાની ગોળી લેતા પહેલા કરી લો આ ઉપાય, દુઃખાવો  થઇ જશે ગાયબ | how to get relief from headache who also suffering from  diabetes

4. માઇગ્રેન 
લગભગ ચોથા ભાગ માઇગ્રેન દર્દીઓેને ધૂંધળુ દેખાવા લાગે છે. ઘણી વખત તેને જોતી વખતે એવું લાગે છે કે તમે પાણી કે તૂટેલા કાચ તરફ જોઈ રહ્યા છો. માથાનો દુખાવો હોય તો પણ આંખની સમસ્યા થઈ શકે છે. ગંભીર માઈગ્રેનને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. માઇગ્રેન સાયકોસોમેટિક ડિસઓર્ડરને ખાસ સારવારની જરૂર છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ