બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news health benefits of soaked figs anjeer khava na fayada

હેલ્થ ટિપ્સ / વેટ લોસથી લઇને હાર્ટને મજબૂત કરવા સુધી..., અનેક બીમારીઓથી રક્ષણ આપશે પલાળેલા અંજીર

Arohi

Last Updated: 12:35 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Soaked Figs: અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર પોષક તત્વ સ્વાસ્થ્ય સાથે સંબંધીત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. પોષક તત્વોથી ભરપૂર અંજીર ખાવાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળી શકે છે.

  • વેટ લોસ માટે ખાવ પલાળેલું અંજીર 
  • અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક 
  • પોષક તત્વોથી ભરપૂર હોય છે અંજીર 

ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે જરૂર હોય છે. તેમાંથી એક છે અંજીર જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગેનીઝ અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ ગુણ મળી આવે છે. 

જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. અંજીર ખાવાની સૌથી સારી રીત છે તેને પલાળીને ખાવું. તેનાથી સ્વાસ્થ્યને ખૂબ વધારે ફાયદો થાય છે. આવો જાણીએ પલાળેલી ખજૂર ખાવાના ફાયદા વિશે. 

વેટ લોસમાં ફાયદાકારક
અંજીર ખાવાથી વેટ લોસમાં મદદ મળે છે. હકીકતે તેના સેવનથી પેટ મોટા સુધી ભરાયેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. 

બ્લડ શુગર લેવલ રહે છે કંટ્રોલમાં 
અંજીરમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જો તમને ડાયાબિટીસ છે તો રોજ પલાળેલું અંજીર જરૂર ખાઓ. તેનાથી શુગરના દર્દીને ફાયદો મળે છે. 

હોર્મોનલ બેલેન્સ 
અંજીરના સેવનથી હોર્મોનલ ઈમ્બેલેન્સમાં પણ મદદ મળે છે. જે મહિલાઓને હોર્મોનલ ઈમ્બેલેન્સની સમસ્યા રહે છે તે અંજીરનું સેવન કરી શકે છે. જેનાથી પીરિયડ્સ પણ ઈરેગ્યુલર નહીં રહે. 

હાર્ટ માટે ફાયદાકારક
અંજીરનું સેવન હાર્ટને તંદુરસ્ત રાખે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટની બીમારીનો ખતરો પણ ઓછો થાય છે. 

હાડકા થાય છે મજબૂત
હાડકાની મજબૂતી માટે અંજીરનું સેવન કરવું જોઈએ. તેમાં કેલ્શિયમની સાથે સાથે પોટેશિયમ પણ મળી આવે છે જેનાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ ઉંમર વધતા સાંધાના દુખાવામાં રાહત રહે છે. 

પાચનતંત્ર રહે છે સારૂ
અંજીરમાં ફાઈબર સારા પ્રમાણમાં હોય છે. જે પાચનને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે. તેનાથી કબજીય, ગેસ જેવી સમસ્યાઓ નહીં થાય અને સ્વાસ્થ્ય સારૂ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ