બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health eating too fast bad for your health
Manisha Jogi
Last Updated: 04:21 PM, 2 February 2024
આયુર્વેદ અનુસાર ભોજનને 32 વાર ચાવીને ખાવું જોઈએ. જેથી પાચન સંબંધિત સમસ્યા કબજિયાત, ગેસ-એસિડિટી જેવી સમસ્યા થતી નથી. આજની બિઝી લાઈફસ્ટાઈલમાં કોઈની પાસે જમવા માટેનો પણ સમય નથી. ઉતાવળમાં ભોજન કરવાથી હેલ્થને અનેક નુકસાન થાય છે.
ઉતાવળમાં ખાવાથી શરીરને નુકસાન
ગળામાં ભોજન અટકી શકે છે
વ્યક્તિ ઉતાવળમાં જમતો હોય ત્યારે તે ભોજન ચાવવાની જગ્યાએ ગળવા લાગે છે, જેના કારણે ભોજન ગળામાં ફસાઈ જાય છે. જેના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. ભોજન ચાવીને ખાવામાં ના આવે તો તેમાં રહેલ શરીર ભોજનમાં રહેલ પોષકતત્ત્વને એબ્ઝોર્બ કરી શકતું નથી.
પાચનચંત્ર માટે નુકસાનકારક
લાળ ભોજનના પાચન માટે ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં ખાવામાં આવે તો લાળ સરખી રીતે કામ કરી શકતી નથી અને ભોજનનું યોગ્ય રીતે પાચન નથી. જેના કારણે ખાટા ઓડકાર, પેટ ફૂલવાની સમસ્યા, કબજિયાતની સમસ્યા થાય છે.
વજન વધી શકે છે
ઉતાવળમાં ખાવાથી પેટ ભરાતું નથી અને વારંવાર ભૂખ લાગે છે. જેના કારણે તમે અનહેલ્ધી ફૂડ ખાવાનું શરૂ કરો છો. જેના કારણે વજન વધવા લાગે છે.
ડાયાબિટીસ
ભોજન ચાવીને ખાવામાં ના આવે તો વજન વધી શકે છે. જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે તથા અન્ય હેલ્થ પ્રોબ્લેમ પણ થઈ શકે છે.
કોલસ્ટ્રોલ વધે છે
ઉતાવળમાં ખાવાથી શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધવા લાગે છે અને ગુડ કોલસ્ટ્રોલ ધટવા લાગે છે. જેના કારણે હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી શાંતિથી ટાવીને ભોજન કરવું જોઈએ.
વધુ વાંચો: સવારે ઉઠતાવેંત ફોન હાથમાં લેવાની ટેવ હોય તો છોડી દેજો, નહીંતર થઈ જશે આવી બિમારી
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો