બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 08:44 AM, 6 April 2023
હિંદુ ધાર્મમાં બળ-બુદ્ધિ અને શક્તિના દેવતાના રૂપમાં પૂજાતા મહાબલી હનુમાનનું ખૂબ વધારે ધાર્મિક મહત્વ છે. હનુમાનજીને સંકટ મોચન, મહાવીર અને બજરંગ બલીના નામોથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં પંચાંગ અનસાર હનુમાનજીની જન્મ તિથિ ચૈત્ર માસની પૂર્ણિમાએ જણાવવામાં આવી છે. ચૈત્ર માસમાં આવતી હનુમાન જયંતિ આજે એટલે કે 6 એપ્રિલ 2023એ ઉજવવામાં આવશે.
આ દિવસે જે પણ ભક્ત વિધિ-વિધાનથી પૂજા પાઠ કરે છે તો તેમની દરેક ઈચ્છાઓ પુરી થાય છે. આ તિથિને હનુમાન જયંતિની રીતે ઉજવવામાં આવે છે. જોકે હનુમાનજીના ભક્તો તેમનો જન્મોત્સવ કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ પણ ઉજવે છે.
બજરંગબલીના જન્મની બે તિથીઓને જોઈને મોટાભાગે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે આખરે કઈ તિથિ સાચી છે? આવો જાણીએ કે એક વર્ષમાં કેમ ઉજવવામાં આવે છે બે વખત હનુમાન જયંતી.
કેમ ઉજવવામાં આવે છે બે વખત હનુમાન જયંતી?
પવન પુત્ર હનુમાનજીની એક જન્મ તિથિ તેમના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે તો ત્યાં જ બીજી તિથિ વિજય અભિનન્દન મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. હિંદૂ ધર્મ સાથે જોડાયેલા શાસ્ત્રો અનુસાર સંકટમોચક હનુમાનજીનો જન્મ કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ, દિવસ મંગળવારે મેષ રાશિમાં થયો હતો.
ત્યાં જ હનુમાન જયંતી ચૈત્ર મહિનામાં પણ ઉજવવામાં આવે છે. હકીકતે તેના પાછળ એક અલગ કારણ છે. હનુમાનજીના અંદર જન્મથી જ અદભૂત શક્તિઓ હતી. એક વખત તેમને સૂર્યને ફળ સમજ્યો અને તેને ખોવાનો પ્રયત્ન કર્યો. જ્યારે ભગવાન હનુમાન સૂર્ય દેવને ફળ સમજીને ખાવાના જ હતા કે ત્યારે જ દેવરાજ ઈન્દ્ર પ્રગટ થયા. તેમણે હનુમાન પર પ્રહાર કર્યો અને તેમને મૂર્છિત કરી દીધા.
પવન દેવે રોકી દીધો વાયુ પ્રવાહ
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજી પવન પુત્ર હતા. એવામાં પવનદેવને જ્યારે આ ઘટના વિશે જાણકારી મળી તો તે ક્રોધિત થઈ ગયા અને તેમણે વાયુમંડળથી વાયુનો પ્રવાહ રોકી દીધો. ત્યાર બાદ આખા બ્રહ્માંડમાં સંકટ આવી ગયું. તેનાથી બચવા માટે અન્ય દેવી-દેવતાઓ બ્રહ્માજીની પાસે સહાયતા માટે ગયા.
જ્યાર બાદ સ્વયં બ્રહ્મા, અન્ય દેવતાઓની સાથે વાયુદેવની પાસે જાય છે અને પવન પુત્રને બીજું જીવન પ્રદાન કરે છે. તેના ઉપરાંત બધા દેવતા તેમને શક્તિઓ પ્રદાન કરે છે. તે જ દિવસે તેમને બીજુ જીવન મળ્યું. ત્યારે ચૈત્ર માસની પૂનમ હતી. ત્યારથી આ તિથિ પર પણ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ