ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Half of the registrations came in 40 days in the government job portal, but only that much was found.

રિપોર્ટ / સરકારી જોબ પોર્ટલમાં 40 દિવસમાં 7 લાખ રજિસ્ટ્રેશન થયા પણ નોકરી મળી માત્ર આટલાને જ

Published By: Nirav

Last Updated: 09:16 PM, 24 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર એક અઠવાડિયાની અંદર જ 14 થી 21 ઓગસ્ટની વચ્ચે રોજગાર પોર્ટલ પર 7 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે જેટલા લોકોને નોકરી મળી તે આંકડો ઘણો ઓછો છે. રિપોર્ટ અનુસાર રજીસ્ટર થયેલા 7 લાખ લોકો માંથી માત્ર 691 લોકોને જ નોકરી મળી હતી. આ રિપોર્ટ કૌશલ વિકાસ મંત્રાલયના આંકડાઓ પર આધારિત છે.

ADVERTISEMENT

  • સરકારી રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરનારાની સંખ્યામાં ધસારો 
  • કુલ રજીસ્ટ્રેશનની સામે ઘણા ઓછા લોકોને મળે છે રોજગાર 
  • માત્ર 40 દિવસમાં કુલ રજીસ્ટ્રેશન 69 લાખ અને 7700 ને જ મળી નોકરી 

જુલાઇ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી રોજગાર પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આ પોર્ટલને શરૂ થયે હજી માત્ર 40 દિવસ જ વિત્યા છે. જો કે અત્યાર સુધીમાં આ પોર્ટલ પર 69 લાખ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ચોંકાવનારું તથ્ય છે કે આટલી મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરવી નાખ્યા બાદ પણ જેને રોજગારી મળી તે આંકડાઓ ઘણા ઓછા છે. 

બેરોજગારી એક મોટી સમસ્યા 

ઇંડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ જણાવે છે કે માત્ર એક અઠવાડિયાની અંદર એટલે કે 14 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે રોજગાર પોર્ટલ પર 7 લાખ જેટલી સંખ્યામાં નવા રજીસ્ટ્રેશન આવ્યા હતા. જો કે તેમાંથી માત્ર 691 લોકો જ નવી નોકરી મેળવી શકવાને સમર્થ બન્યા હતા. આ રિપોર્ટ કૌશલ વિકાસ મંત્રાલયના આંકડાઓ પર આધારિત છે. ASEEM એટલે કે આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પલોઇ એમ્પ્લોયર મેપિંગ  નામના પોર્ટલ પર મંત્રાલય આ આંકડાઓ અપડેટ કરતું હોય છે. અત્યાર સુધીમાં 3.7 લાખ ઉમેદવારોમાંથી માત્ર 2 ટકા લોકોને જ રોજગારી મળી છે. 

કુશળ રોજગારની ડિમાન્ડ 

રિપોર્ટથી એ તથ્ય ઉજાગર થયું છે કે 69 લાખ લોકોમાંથી દોઢ લાખ લૂને નોકરી મેળવવા માટેના પ્રસ્તાવ મળ્યા હતા, જો કે તેમાંથી પણ માત્ર 7700 લોકો જ સફળ થયા હતા. જો કે અન્ય તથ્ય એ પણ છે કે આ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક લોકો પ્રવાસી શ્રમિકો નથી. તેમાં ભિન્ન ભિન્ન કામ કરતાં સ્વ રોજગારી પ્રાપ્ત લોકો પણ હતા. 

યુપી અને બિહાર પાછા ફર્યા શ્રમિકો 

પોર્ટલના આંકડાઓથી ખબર પડે છે કે કર્ણાટક, દિલ્લી, તેલંગાણા, તમિલનાડુમાં શ્રમિકોની ભારે તંગી છે. લોકડાઉન શરૂ થતાં જ ઘણા શ્રમિકો પોત પોતાના ગૃહ રાજ્યો ખાસ કરીને યુપી અને બિહાર પરત ફરી ગયા હતા. પોર્ટલ પર રજીસ્ટર કરવાવાળાની સંખ્યામાં 11.98 ટકાનો વધારો નોંધાયો છે અને કુલમાં આ ટકાવારી 61.67 ટકા જેવી વધીને 69 લાખ સુધી પહોંચી ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

India UnEmployment jobs kaushal vikas yojana rojgar portal કૌશલ વિકાસ મંત્રાલય બેરોજગારી ભારત રોજગાર પોર્ટલ Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ