ગ્રહોની હાલની સ્થિતિથી 100 વર્ષ પથી ગુરુ પુષ્પ મહાસંયોગ બની રહ્યો છે. 30 એપ્રિલના વૈશાખ સુદ સાતમની તિથિ છે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર, આ તિથિના ગંગા નદી શિવજીની જટામાંથી વહીને પૃથ્વી પર અવરિત થઇ હતી. ગુરુવારના દિવસે નક્ષત્રોના રાજા પુષ્પ નક્ષત્ર હોવાથી પુષ્પ યોગ બની રહ્યો છે.
ગુરુ પુષ્પ યોગમાં મેષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, વુશ્ચિક, ધનુ અને મીન રાશિ માટે શુભદારી રહેશે. આ સંયોગમાં કરેલા તમાં કાર્યમાં સફળતા મળશે.
મેષ
મેષ રાશિ માટે પુષ્પ યોગ નોકરી તથા વેપારના રસ્તા ખોલી દેશે, આ સાથે જ આર્થિક ક્ષેત્રમાં વધારે પરિશ્રમ કરવાથી ધન લાભ થશે. ધનને લઇને તમામ ચિંતાઓ સમાપ્ત થઇ જશે. આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરી અને માથા પર ચંદન અથવા કેસરનું તિલક લગાવવાથી ભાગ્યોદય થશે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે ગુરુ પુષ્પ યોગ વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો અંત કરી શકે છે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂરો થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે અને તેમની રણનીતિઓ પર કોઇ અસર નહી થાય. પીપળના પાનમાં હળદળનું તિલક લગાવીને વિષ્ણુ ભગવાનને અર્પિત કરવાથી લાભ થશે.
મિથુન
નોકરી તથા વેપારને લઇને પરેશાન થઇ રહેલા લોકો માટે પુષ્ય યોગ સંભાવનાઓની નવા રસ્તાઓ ખોલી દેશે. આવકના નવા સાધન તમને પ્રાપ્ત થઇ શકે છે. આ યોગ આ રાશિવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમકે આ રાશિના જાતકોના જે કાર્ય લાંબા સમયથી અટક્યા હતા, તે પૂરા થશે. તુલસીના છોડમાં હળદરવાળું દૂધ ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થશે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે પુષ્પ યોગ શિક્ષા અને કરિયરે સુધારશે. કરિયરમાં ઉન્નિત થશે. વ્યવસાયમાં અત્યાર સુધી ચાલી રહેલા નુકસાનમાં ધન લાભ થશે. કર્ક રાશિના લોકોમાં આત્મવિશ્વાસ વધશે. વિવાહના પ્રસ્તાવ આવશે. ભગવાન વિષ્ણુનું કેળામાં ભોગ લગાવીને પ્રસાદ ધરાવી તેનું ગ્રહણ કરવાનું શુભ માનવામાં આવ્યુ છે.
સિંહ
સિંહ રાશિવાળા જમીનથી જોડાયેલા મામલામાં ફાયદો થઇ શકે છે. વ્યાપારિક મામલામાં પણ તમામ મુશ્કેલીઓ દૂર થશએ. જલ્દીથી કોઇ શુભ સમાચાર મળશે. પરિવારનો વિવાદ પૂરો થશે. રાજનીતિક ક્ષેત્રમાં સન્માન વધશે. સિંહ રાશિના જાતકોએ કેળાના પાનમાં કાળા તલ ચઢાવવુ જોઇએ અને તે પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરવુ જોઇએ.
કન્યા
નોકરીમાં સફળતા મળવાની સાથે સાથે ધન લાભ અને કાયદાકીય મુશ્કેલીઓ દૂર થવાની સંભાવના છે. રોકાયેલુ ધન પરત મળશે. ખર્ચો પર નિયંત્રણ આવશે. તુલસીના છોડને ઘીના દીપકથી આરતી ઉતારી અને હળદરવાળું દૂધ ચઢાવવાથી લાભ થશે.
તુલા
તુલા રાશિના જાતકોના તમામ વિધ્ય દૂર થઇ જશે. તુલા રાશિના જાતકોમાં વ્યવસાયમાં અચાનક લાભ થઇ જશે. નોકરીના મામલામાં ઘણી સારી સંભાવના બની શકે છે. ધન પ્રાપ્તિ થશે. વિરોધીયોની રણનીતિની કોઇ અસર નહી થાય. ગંગાજળમાં લાલ સિંદૂર ભેળવીને સૂર્ય દેવને ચઢાવો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં ઉન્નતિ આવશે. વ્યવસાયમાં ધનલાભ થશે. સૂર્ય દેવને ગોળવાળું જળ ચઢાવવાથી લાંબા સમયથી અટકેલા તમામ કાર્યો પૂર્ણ થશે અને મનોકામનાઓ પૂરી થશે.
ધનુ
ધનુ રાશિ માટે પુષ્ય યોગ શુભ માનવામાં આવે છે. વેપાર તથા જમીનથી જોડાયેલા મામલામાં ફાયદા થશે. લોકપ્રિયતામાં વુદ્ઘિ થશે. સ્થાયી લાભના માર્ગ મળશે. પીપળના પાનમાં પતાશા અથવા તો મિઠાઇ મૂકીને તેણે અર્પિત કરો.
મકર
દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. આ દરમિયાન કોઇ પણ કાર્ય કરતા પહેલા મહિલા પાર્ટનરનો અભિપ્રાય સફળ સાબિત થશે. ઘરમાં બનેલા કાળા તલની રેવડી ભગવાન વિષ્ણુનુ ચઢાવવાથી લાભ મળશે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે પુષ્પ યોગ સુખ શાંતિમાં વુદ્ઘિ કરશે. કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં ખુશાલી આવશે. ધનના મામલામાં સારા સમાચાર મળશે. લાલ રંગના તિકવને માથા પર કરી અને 'ओउम नमो भगवते वासु देवाय' નો જાપ કરો.
મીન
મીન રાશિના જાતકો પુષ્પ યોગને કારણે આવકનો નવો સ્ત્રોત મળશે. વ્યાવસાયિક લાભથી મન પ્રસન્ન થશે. ધનને લઇને અત્યાર સુધી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. ભગવાન વિષ્ણુને ભોગ લગાવવાથી મનની ઇચ્છાઓ પૂર્ણ થશે.