બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમામ દોષિતોને 5 વર્ષની સજા, 10 વર્ષ બાદ ઉના દલિતકાંડમાં કોર્ટનો મોટો ચુકાદો
Last Updated: 12:20 PM, 17 March 2026
Una Dalit Assault Case : વર્ષ 2016માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામમાં બનેલી ઉના દલિત અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ગાયનું ચામડું ઉતારવાના આરોપે દલિત યુવાનોને જાહેરમાં અપમાનિત કરીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. હવે આ કેસમાં દસ વર્ષ પછી કોર્ટનો ચુકાદો આવ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટએ પાંચ મુખ્ય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચારના ગુનાઓ સાબિત થયા છે. કોર્ટ દ્વારા તેમને એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા તેમજ IPCની વિવિધ કલમો હેઠળ બે થી ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, આ કેસમાં ચાર પોલીસકર્મીઓ સહિત કુલ 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી પીડિત પરિવાર નિરાશ થયો છે. તેમના મતે આ ચુકાદો સંપૂર્ણ ન્યાય નથી. ફરિયાદી વશરામ સરવૈયાએ જણાવ્યું છે કે, તેઓ આ નિર્ણય સામે આગળની કાનૂની લડત લડશે અને જરૂર પડે તો સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવશે.
ઉનાના બહુચર્ચિત કેસમાં વેરાવળ કોર્ટનો ચુકાદો #UnaCase #VeravalCourt #GujaratNews #Justice #BreakingNews #Gujarat #VTVDigital pic.twitter.com/wTvaLP51Ie
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 17, 2026
ADVERTISEMENT
આ કેસમાં એક મહત્વની બાબત એ પણ છે કે દોષિત ઠેરવાયેલા પાંચેય આરોપીઓ પહેલાથી જ છ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કોર્ટના નિયમ મુજબ સજાઓ સાથે સાથે ભોગવવાની હોવાથી હવે તેમની સજાની અવધિ પૂર્ણ ગણાય છે, જેના કારણે તેઓ જેલમાંથી મુક્ત થવાના છે. આ ચુકાદા બાદ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : આ તારીખે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર રજૂ કરશે UGC બિલ
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના 11 જુલાઈ, 2016ના રોજ ઉના તાલુકાના મોટા મોટા સમઢિયાળા ગામે બની હતી. દલિત સમાજના સાત લોકોને મરેલી ગાયનું ચામડું ઉતારવાની શંકા રાખી કેટલાક લોકોએ કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટનાના કારણે દેશભરમાં દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને હુલ્લડના બનાવો નોંધાયા હતા. અંદાજે 74 જેટલા હુલ્લડના બનાવો સામે આવ્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું અને જાહેર મિલકતોને મોટું નુકસાન થયું હતું. હવે આ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે અને દોષિત ઠરેલા આરોપીઓને એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા તેમજ IPCની વિવિધ કલમો હેઠળ બે થી ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.