બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Gayatri
Last Updated: 01:21 PM, 23 June 2020
રાજભવન ખાતે રાજ્યપાલે લેવડાવ્યા શપથ
ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
કોણ કોણ રહ્યા હાજર
શપથવિધીમાં CM રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતા. HCના મુખ્ય ન્યાયાધિશ સહિતના જજ હાજર રહ્યાં હતા. છેલ્લા દોઢ વર્ષથી લોકાયુક્તનું સ્થાન હતું ખાલી.
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ખાલી પડેલ લોકાયુક્તની જગ્યા પર ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લાની નિયુક્તિ, આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા #Gujarathighcourt @ADevvrat @vijayrupanibjp @CMOGuj pic.twitter.com/xfQVFtP957
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2020
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.
જસ્ટિસ આર એચ શુક્લા કોણ છે
1981માં વકીલાતનો વ્યવસાય અપનાવ્યા બાદ તેમણે 1982થી ગુજરાત સરકારના પેનલ પરના ખાસ વકીલના પ્રતિનિધી તરીકે કામ કર્યું છે. 1994માં તેઓ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ જજ બન્યા. અમદાવાદમાં 1988માં થયેલાં પ્લેન ક્રેશના કેસમાં ભોગ બનનારાં લોકોને વળતર આપવાનો ચૂકાદો પણ તેમણે સંભળાવ્યો હતો. નવેમ્બર 2007માં ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયમૂર્તિ, મે 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા. નિવૃત્ત જસ્ટીસ આર એચ શુક્લાએ 2010માં એક VIP વ્યક્તિના જામીન આપ્યા હતા જે હાલમાં દેશમાં એક મહત્વના અને શક્તિશાળી પદ પર કાર્યરત છે.
લોકાયુક્તનું શું કાર્ય હોય છે
લોકાયુક્તને મુખ્ય પ્રધાન સહિત રાજ્યના મંત્રીઓ વિરુદ્ધ સરકારમાં ગેરરીતિઓ અથવા ભ્રષ્ટાચાર અથવા ભ્રષ્ટ વ્યવહાર અંગેની ફરિયાદોની તપાસ માટે પણ સત્તા આપવામાં આવી છે. તેમનું મુખ્ય કામ રાજ્યમાં થતાં ભ્રષ્ટાચાર રોકવાનું તેમ જ ફરિયાદોને આધારે કાર્યવાહી કરવાનું મુખ્ય કામ હોય છે.
લોકાયુક્તની કેવી રીતે પસંદગી થાય છે
ઉલ્લેખનીય છે કે, લોકાયુક્તની નિમણૂંક માટે એક ખાસ કમિટી બનાવવામાં આવી હોય છે જેમાં મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા સામેલ હોય છે.
અગાઉ કોણ હતુ લોકાયુક્ત
અગાઉ જસ્ટિસ ડી.પી.બુચ 5 વર્ષ સુધી ગુજરાતમાં લોકાયુક્ત રહ્યાં હતા. ડિસેમ્બર 2018માં ડી.પી.બુચનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. લોકાયુક્ત સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર રોકવા કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો