બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અમદાવાદ / 'Gujarat is number 5 in the country in attacks on SC-ST', after the figures announced in the Lok Sabha, the Congress got water, besieged the government
Vishal Khamar
Last Updated: 10:25 PM, 9 February 2023
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં સોસાયટીના કેટલાક શખ્શો દ્વારા સોસાયટીમાં રબારી, ભરવાડ તેમજ SC-ST તેમજ ઓબીસી સમાજના લોકોને મકાન ભાડે ન આપવા બાબતે સોસાયટીના શખ્શો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થવા પામ્યો છે. જ્યારે આ વીડિયોની પુષ્ટિ Vtv કરતું નથી.
અનુસુચિત જાતિ પર દર 48 કલાકે 1 અત્યાચાર-હુમલોની ઘટના બને છે
ત્યારે આ બાબતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્ક દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત જે પ્રકારે પ્રગતિશીલની વાતો કરે છે. ત્યારે SC-ST ના આંકડા ચોંકાવનારા અને ગંભીર આંકડા સામે આવવા પામ્યા છે. લોકસભામાં ગુજરાતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ માં 321 કેસ રજીસ્ટર જ્યારે સજા માત્ર 7 ને જ થવા પામી છે. જ્યારે વર્ષ 2020 માં 291 કેસ નોંધાવવા પામ્યા છે. જેમાં 2 ને જ સજા થવા પામી છે. જ્યારે વર્ષ 2021 માં 341 કેસ રજીસ્ટર થયા છે. જેમાં એકપણ વ્યક્તિને સજા થવા પામી નથી. કન્વિશન રેટ એક ટકા કરતા પણ ઓછો 0.94 % છે. ત્રણ વર્ષમાં અનુસુચિત જાતી પર 953 ગંભીર એટ્રોસીટીની ગંભીર ઘટનાઓ નોંધાવા પામી છે. અનુસુચિત જાતિ પર દર 48 કલાકે 1 અત્યાચાર-હુમલોની ઘટનાઓ ભાજપ સરકારમાં થાય છે. છેલ્લા 6 વર્ષમાં SC –ST પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ –હુમલાઓ થયા છે.
આ પ્રકારની જાતિવાદી માનસિકતાના પીડિતોની જનસંખ્યા ૮૦% છે જેમના ઉપર માત્ર ૫% લોકો રાજ કરે છે. સોસાયટીઓમાં દલિત, ઓબીસી અને મુસ્લિમ સમાજને આવો આભડછેટનો અનુભવ કાયમ થાય છે. પણ આ સમાજોએ ગુલામી સ્વીકારી લીધી છે અને એટલેજ વર્ષોથી જાતિવાદી માનસિકતાના વાળા મનુવાદીઓ રાજ કરે છે. https://t.co/VixlNN6g1d
— Naushad Solanki, Ex MLA (@naushad_solanki) February 9, 2023
જનજાગૃતિ માટે વર્ષ 2020 માં એકપણ કાર્યક્રમ થયો નથી
ગુજરાત માં sc st ના કાયદાની જનજાગૃતિ માટે વર્ષ 2018 અને 19 માં માત્ર 6-6 કાર્યક્રમ થયા 2020 માં એકપણ કાર્યક્રમ થયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં sc st જ્યાં હુમલા થાય તેવા રાજ્યમાં ગુજરાત દેશમાં 5 માં નંબરે છે જેમાં ગુજરાતના જીલ્લાનો ઉલ્લેખ છે. ગુજરાતમાં અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા પર કોંગ્રસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતું કે ભાજપ સાશનમાં અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST)ના બંધારણીય હક્કો-અધિકારો સામે ભાજપ સરકાર અનદેખી કરી રહી છે. લોકસભામાં પુછાયેલા પ્રશ્ન પર સરકારે ચોકાવનાર આંકડા સામે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ