બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Kavan
Last Updated: 07:35 PM, 16 November 2020
ભારતમાં શિયાળા અને તહેવારોમાં કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીની ખરીદીમાં મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 39, 383 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોના અપડેટ :
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 926 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 91.41 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 39, 383 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 68,76,665 પર પહોંચ્યો છે.
કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,72,972 પર પહોંચ્યો છે. આજે 5 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,808 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 3, સુરત 1, રાજકોટમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
તહેવાર ટાણે કોરોનાનો થયો વિસ્ફોટ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને દિવાળી બાદ હવે મુખ્યત્વે અમદાવાદમાં કોરોનાએ ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદમાં દિવાળી માં જાણે કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 518 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 170 દર્દીઓ ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તહેવારનાં ત્રણ જ દિવસમાં 433 દર્દીઓ દાખલ થયા છે.
કોરોના પિક ઉપર આવતા સિવિલ હોસ્પિટલના ડોકટરો ખડેપગે
કોરોના વાયરસનાં વધતા ગંભીર કેસને જોતા સિવિલ હોસ્પિટલમાં ડોકટરો ખડેપગે છે અને જેના કારણે કિડની અને કેન્સર હોસ્પિટલને ફરી કોવિડ હોસ્પિટલ તરીકે શરુ કરવામાં આવશે.
આજે નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી
અમદાવાદમાં વધતાં કોરોના વાયરસના કેસને જોતા આજે નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને પગલે લોકડાઉન અંગે જણાવ્યું હતુ કે, લોકડાઉન નહીં થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારીશું. એટલું જ નહીં પરંતુ તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે, દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા સંક્રમણ વધ્યું છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
16/11/2020 | પોઝિટિવ કેસ | મૃત્યુ | સાજા થયા |
અમદાવાદ | 225 | 3 | 0 |
સુરત | 141 | 1 | 0 |
વડોદરા | 125 | 0 | 0 |
ગાંધીનગર | 51 | 0 | 0 |
ભાવનગર | 12 | 0 | 0 |
બનાસકાંઠા | 16 | 0 | 0 |
આણંદ | 8 | 0 | 0 |
રાજકોટ | 127 | 1 | 0 |
અરવલ્લી | 4 | 0 | 0 |
મહેસાણા | 45 | 0 | 0 |
પંચમહાલ | 5 | 0 | 0 |
બોટાદ | 2 | 0 | 0 |
મહીસાગર | 6 | 0 | 0 |
ખેડા | 8 | 0 | 0 |
પાટણ | 18 | 0 | 0 |
જામનગર | 24 | 0 | 0 |
ભરૂચ | 7 | 0 | 0 |
સાબરકાંઠા | 19 | 0 | 0 |
ગીર સોમનાથ | 8 | 0 | 0 |
દાહોદ | 16 | 0 | 0 |
છોટા ઉદેપુર | 2 | 0 | 0 |
કચ્છ | 20 | 0 | 0 |
નર્મદા | 4 | 0 | 0 |
દેવભૂમિ દ્વારકા | 1 | 0 | 0 |
વલસાડ | 0 | 0 | 0 |
નવસારી | 1 | 0 | 0 |
જૂનાગઢ | 12 | 0 | 0 |
પોરબંદર | 0 | 0 | 0 |
સુરેન્દ્રનગર | 8 | 0 | 0 |
મોરબી | 7 | 0 | 0 |
તાપી | 1 | 0 | 0 |
ડાંગ | 0 | 0 | 0 |
અમરેલી | 3 | 0 | 0 |
અન્ય રાજ્ય | 0 | 0 | 0 |
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો