બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat government says only 700 patients are on ventilator and 6 thousand ventilators are there, patients dont find ventilator bed

મહામારી / ગુજરાત સરકાર પોતાના જ આંકડાઓમાં ફસાઈ : વેન્ટિલેટર મુદ્દે જે ગોટાળા માર્યા તે જાણીને ચોંકી જશો

Parth

Last Updated: 10:07 AM, 9 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ તથા રાજ્યના કુલ દર્દીઓની સંખ્યા મુદ્દે સરકારના જ આંકડાઓમાં અસમંજસતા જોવા મળી રહી છે.

  • રાજ્ય સરકારના આંકડાઓમાં અસમંજસતા
  • સરકારના જણાવ્યા અનુસાર 700 દર્દીઓ વેન્ટિલેટર પર
  • રાજ્યમાં કુલ વેન્ટિલેટરની સંખ્યા 6,574, 5800 વેન્ટિલેટર ઉપલબ્ધ
  • બીજી તરફ વેન્ટિલેટર માટે દર્દીઓએ મારવા પડે છે ફાંફા

વેન્ટિલેટરનો આંકડો ખોટો કે પછી ગંભીર દર્દીઓનો?

ગુજરાત અને આખો દેશ અત્યારે કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસઆ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ મહામારીની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે રાજ્યની સરકાર તથા તંત્ર આંકડાઓના ખેલમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી તંત્ર પર આરોપ લાગતાં હતા કે તંત્ર મોતના આંકડાઓમાં ખેલ કરે છે અને ઓછા મોત દર્શાવવામાં આવે છે પરંતુ હવે વેન્ટિલેટરના આંકડાઓમાં પણ રમત રમાતી હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્ય સરકારના આંકડાઓમાં મુદ્દે ખૂબ જ મૂંઝવણ છે. 

સરકાર પોતાના જ આંકડાઓમાં જ ફસાઈ 

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર રાજ્યમાં 700 દર્દીઓ એવા છે જે વેન્ટિલેટર પર છે. હવે ગુજરાત રાજ્યમાં કુલ વેન્ટિલેટર 6,574 છે સરકાર જ કહે છે કે 5800 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. સર્વવિદિત છે કે ગુજરાતમાં ગંભીર દર્દીઓને વેન્ટિલેટર બેડ નથી મળી રહ્યા અને મળે તો ભારે જહેમત કરવી પડે એવામાં સવાલ ઊભો થાય છે કે જો સરકારના આંકડા સાચા હોય તો આ હજારો વેન્ટિલેટર છે ક્યાં? અને જો વેન્ટિલેટરના આંકડા સાચા હોય તો રાજ્યમાં ગંભીર દર્દીઓની સાચી સંખ્યા કેટલી છે? સરકાર સંખ્યા કેમ છુપાવી રહી છે? 

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર 

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.

કોરોના વાયરસ કેસ અપડેટ (8 મે, 2021)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,892 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે સતત બીજા દિવસે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 119 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8273 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,737 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,18,234 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 782 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,43,421 પર પહોંચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ