બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / gujarat government says only 700 patients are on ventilator and 6 thousand ventilators are there, patients dont find ventilator bed
Parth
Last Updated: 10:07 AM, 9 May 2021
વેન્ટિલેટરનો આંકડો ખોટો કે પછી ગંભીર દર્દીઓનો?
ગુજરાત અને આખો દેશ અત્યારે કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસઆ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ મહામારીની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે રાજ્યની સરકાર તથા તંત્ર આંકડાઓના ખેલમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી તંત્ર પર આરોપ લાગતાં હતા કે તંત્ર મોતના આંકડાઓમાં ખેલ કરે છે અને ઓછા મોત દર્શાવવામાં આવે છે પરંતુ હવે વેન્ટિલેટરના આંકડાઓમાં પણ રમત રમાતી હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્ય સરકારના આંકડાઓમાં મુદ્દે ખૂબ જ મૂંઝવણ છે.
સરકાર પોતાના જ આંકડાઓમાં જ ફસાઈ
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર રાજ્યમાં 700 દર્દીઓ એવા છે જે વેન્ટિલેટર પર છે. હવે ગુજરાત રાજ્યમાં કુલ વેન્ટિલેટર 6,574 છે સરકાર જ કહે છે કે 5800 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. સર્વવિદિત છે કે ગુજરાતમાં ગંભીર દર્દીઓને વેન્ટિલેટર બેડ નથી મળી રહ્યા અને મળે તો ભારે જહેમત કરવી પડે એવામાં સવાલ ઊભો થાય છે કે જો સરકારના આંકડા સાચા હોય તો આ હજારો વેન્ટિલેટર છે ક્યાં? અને જો વેન્ટિલેટરના આંકડા સાચા હોય તો રાજ્યમાં ગંભીર દર્દીઓની સાચી સંખ્યા કેટલી છે? સરકાર સંખ્યા કેમ છુપાવી રહી છે?
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર
ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (8 મે, 2021)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,892 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે સતત બીજા દિવસે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 119 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8273 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,737 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,18,234 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 782 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,43,421 પર પહોંચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો