બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 09:02 PM, 30 August 2023
આજે નાળિયેર પૂનમના દિવસે સુત્રાપાડાના ધાળેજ ગામે માછીમારો દ્વારા દરિયા દેવની પૂજા કરી નાળિયેર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દરિયા દેવની પૂજા કર્યા બાદ હોડીઓની પૂજા કરી હાર તોરણથી હોડીઓને શણગારવામાં આવી હતી. અને શુભ મુહૂર્તમાં દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો હતો. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વસેલા ગામના માછીમારો દર વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે નાળિયેર પૂનમે સમુદ્રનું પૂજન કરીને દરિયો ખેડવાનો પ્રારંભ કરે છે. પરંપરાગત રીતે ખીરનો પ્રસાદ, શ્રીફળ, ચુંદડી સમુદ્રમાં પધરાવી રક્ષાની કામના કરવામાં આવે છે.
માછીમારો શ્રાવણ સુદ પૂર્ણિમાનાં દિવસે સમુદ્રનું પૂજન કરે છે
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વસેલા ગામડામાં રહેતા દરિયાઈ ખેડૂત જીવન નિર્વાહ ચલાવવા માછીમાર પરિવારો દ્વારા દર વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા નાળિયેરી પૂનમે સમુદ્રનું પૂજન કરી દરિયો ખેડવાનો પ્રારંભ કરે છે. ત્યારે માછીમારો દ્વારા સાથે સાથે પેઢી દર પેઢીનો વ્યવસાય વારસો અકબંધ જાળવી રાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધામલેજ ગામે વસતા કેટલાક માછીમાર પરિવારો આ વ્યવસાય સાથે આજે પણ જોતરાયેલા છે.
દરિયાદેવનું પૂજન કર્યા બાદ હોડી ઓની પૂજા કરી હાર તોરણથી શણગારવામાં આવી
આજે રોજ ધામળેજ ગામના માછીમાર પરિવાર દ્વારા દરિયામાં ભરતી આવતાની સાથે જ પૂજા સામગ્રી સાથે સમુદ્ર તટે પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ દરિયાદેવનું પૂજન કર્યા બાદ હોડી ઓની પૂજા કરી હાર તોરણથી શણગારવામાં આવી હતી અને શુભ મુહૂર્તમાં દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો હતો.
દરિયાદેવનાં ઉગ્ર સ્વરૂપને શાંત કરવા માછીમારો નાળિયેરી પૂનમે પૂજા કરે છે
સૌ પ્રથમ ચોમાસુ દરિયામાં બેસે છે. જે બાદ ચોમાસુ તટ તરફ ગતિ કરે છે. આ ચોમાસાનાં ચાર માસ દરિયાદેવ ઉગ્ર હોય છે. પરંતું આ ઉગ્ર સ્વરૂપને શાંત સ્વરૂપ બનાવવા દર વર્ષે માછીમારો નાળિયેરી પૂનમે માછીમારો રત્નાકર ભગવાનની સ્તૃતિ વંદનાં કરી રત્નાકરને પ્રિય એવી ખીરનો ભોગ કરે છે. અને ત્યાર બાદ શ્રીફળ, ચૂંદડીઓ ચઢાવવાથી ભગવાન રત્નાકર શાંત બની જાય છે. જેથી જ્યારે દરિયો ખેડવા જઈએ. ત્યારે દરિયાદેવ અમારૂ રક્ષણ કરે છે. ત્યારે આ પરંપરા વર્ષોથી અકબંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime