બ્રેકિંગ ન્યુઝ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
VTV / Govt Has No Plan To Use Aadhaar Data For Census, Says MoS Rajeev Chandrasekhar
Hiralal
Last Updated: 09:59 PM, 5 April 2023
સપ્ટેમ્બર 2023માં ઓનલાઈન વસતી ગણતરીનું કામ શરુ થવાનું છે અને વચ્ચે એવા સમાચાર હતા કે સરકાર વસતી ગણતરી માટે આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે પરંતુ હવે સરકાર દ્વારા આ વાતને લઈને ખુલાસો કરાયો છે.
વસ્તી ગણતરી માટે આધાર ડેટાનો ઉપયોગ કરવાની કોઈ યોજના નથી-મંત્રી
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી માટે આધાર ડેટાનો ઉપયોગ કરવાની સરકારની કોઈ યોજના નથી. એક લેખિત જવાબમાં મંત્રીએ કહ્યું, "ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીએ માહિતી આપી છે કે વસ્તી ગણતરી માટે આધાર ડેટાનો ઉપયોગ કરવાની કોઈ યોજના નથી.
Govt has no plan to use Aadhaar data for census, says Minister of State for Electronics and IT Rajeev Chandrasekhar
— Press Trust of India (@PTI_News) April 5, 2023
અત્યાર સુધી કેટલા આધાર કાર્ડ જારી થયાં
આધાર આપનાર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં તેના દ્વારા 136 કરોડથી વધુ આધાર નંબર જારી કરવામાં આવ્યા છે. મૃત્યુની અંદાજિત સંખ્યાને સમાયોજિત કર્યા પછી હાલના આધાર નંબર ધારકોની અંદાજિત સંખ્યા 130.2 કરોડ છે.
મૃતકોના આધાર નંબર ડિએક્ટીવેટ કરવાની કોઈ વ્યવસ્થા નથી
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી માટે નોંધણી અને મૃત્યુ અધિનિયમ, 1969ની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત રજિસ્ટ્રાર્સ પાસેથી મૃતક વ્યક્તિઓના આધાર નંબર મેળવવા માટે, તે આધાર નંબરોને નિષ્ક્રિય કરવા માટે કોઈ વ્યવસ્થા નથી.
ક્યારથી શરુ થશે વસતી ગણતરી
2023ની સાલમાં ઓનલાઈન વસતી ગણતરી કરવાનું સરકારનું આયોજન છે જે માટે સપ્ટેમ્બર મહિનાથી દેશભરમાં આ કાર્ય શરુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ